તબલીગી જમાતના કાર્યક્રમો બન્યા માથાનો દુ:ખાવો, આ 6 દેશોમાં ફેલાવ્યો કોરોના વાયરસ

HM News
3 Min Read

દુનિયા આખી જીવલેણ કોરોના વાયરસને લઈ ભયના ઓથાર હેઠળ છે ત્યારે તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતનો મેળાવડો ભારત માટે માથાનો દુખાવો બની શકે છે. તબલિગી જમાતના સંમેલનો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં થયા જેણે કોરોનાને ફેલાવવાનું કામ કર્યું હોવાની શક્યતા છે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં 21 દિવસ માટે દેશ આખામાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પરંતુ દેશના અનેકભાગો અને વિદેશમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોએ તબલીગી જમાતમાં ભાગ લઈને કાયદાના લીરે લીરા ઉડાડ્યા હતાં. સૌથી ગંભીર બાબત એ છે કે, આ જમાતમાં વિદેશથી આવેલા અનેક લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હતાં. જેમના કારણે આ કાર્યક્રમમાં આવેલા અનેક લોકોએ પણ આ ચેપ લાગ્યો હોઈ શકે છે. જેથી આ લોકોએ અનેક લોકોનો જીવ ખતરામાં મુકી દીધો છે.

તબલીગી જમાતના કારણે ભારતભરમાં ફેલાયો કોરોના

રાજધાની દિલ્હીમાં તબલિગી જમાતના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત થયેલા સંમેલનમાં સામેલ બે હજાર લોકોએ જેમાંથી 800 લોકો વિદેશથી આવ્યાં હતાં. જેમાંથી અનેક લોકો કોરોનાગ્રસ્ત હતાં. તેઓ દેશના અનેક ભાગમાંથી આવેલા લોકોમાં પણ કોરોના વાયરસ ફેલાવવાનું કામ કર્યું છે.

મલેશિયાથી ફેલાયો 6 દેશોમાં ચેપ

તબલિગી જમાતે ભારત સહિત બીજા અન્ય દેશોમાં પણ પોતાના સંમેલનોના માધ્યમોથી મહામારી ફેલાવી છે. મલેશિયામાં જમાતના સંમેલનથી 6 દેશોમાં કોરોના ફેલાયો છે. પાકિસ્તાનની જ જેમ મલેશિયાએ પણ જમાતનું એક સંમેલન આયોજીત કર્યું હતું. જેમાં 16000 લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ મલેશિયામાં 620 કોરોનાના દર્દીઓ એવા મળ્યાં હતાં જેમણે આ સંમેલનમાં ભાગ લીધો હતો.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ સંમેલનમાં ભાગ લેનારા લોકોએ બ્રુનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત કુલ 6 દેશોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવ્યો હતો. એવું પણ તારણ નિકળ્યું છે કે તબલિગી જમાત સમગ્ર એશિયામાં કોરોના ફેલાવવાનું કારણ બની છે.

પાકિસ્તાનમાં આ સંમેલન ફેલાયો ઘાતક વાયરસ

બલિગી જમાતે પાકિસ્તાનની રાજધાની લાહોરમાં સંમેલન આયોજીત કર્યું હતું. અહીં પણ અનેક દેશોના લોકો શામેલ થયા હતાં. જેથી આ કોરોનાની મહામારી બીજા પણ દેશોમાં ફેલાઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ લાહોરમાં 11 માર્ચથી 15 માર્ચ સુધી તબલિગી જમાતે એક મોટા જલસાનું આયોજન કર્યું હતું જેમાં અઢી લાખથી વધુ લોકો સામેલ થયા હતાં. ત્યારબાદ હવે પાકિસ્તાનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દોઢ હજારને પાર થઈ ગઈ છે.

પાકિસ્તાનના તબલિગી જમાતના ધાર્મિક મેળાવડામાં ભાગ લઈને પાછા ફરેલા બે પેલેસ્ટાઈનવાસીઓમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો. એટલું જ નહીં ટ્યૂનિશિયા, કુવૈતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના તાર જમાતના લાહોર સંમેલન સાથે જોડાયેલા જોવા મળ્યાં. આમ કોરોના વાયરસની ગંભીર મહામારી વચ્ચે તબલીગી જમાતે આયોજીત કરેલા કાર્યક્રમો ભારત ઉપરાંત છ દેશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યાં છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *