હાલ સામ્પ્રદાયિક રાજકારણ કરવાનો સમય નથી : મમતા બેનરજી
એજન્સી, કોલકાતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તબલીગ જમાતના કાર્યક્રમ અંગે જણાવ્યું છે કે, રોગ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ કરતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સામ્પ્રદાયિક રાજકારણ કરવાનો સમય નથી.
કોરોનાગ્રસ્ત દર્દીઓ અંગે જાણકારી આપતા મમતા બેનરજીએ જણાવ્યું કે, રાજ્યમાં બુધવારે કોવિડ-19ના બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 71 પર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા બુધવારે પાંચ હજાર સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, મંગળવારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 773 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 5,194 પહોંચી ગઈ છે. જેમાંથી 402 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.