તમિલનાડુ લોકડાઉનની સમય મર્યાદા વધારનું સાતમું રાજ્ય બન્યું
ચેન્નાઈ,
કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં સમગ્ર દેશ એક થઈને લડાઈ લડી રહ્યો છે.આ વાયરસને ડામવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ વાયરસને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરાયેલા લોકડાઉનની સમય મર્યાદાને વધારવા માટે વિચાર કરી રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા,પંજાબ અને મહારાષ્ટ્રમાં લોકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. આ રાજ્યોની બાદ હવે તમિલનાડુ સરકારે પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તમિલનાડુ લોકડાઉનની સમય મર્યાદા વધારનું સાતમું રાજ્ય બન્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ રાજ્યમાં લોકડાઉનની મર્યાદાને વધારવાનો આદેશ આપ્યો છે.રાજ્યમાં કલમ 144 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત લાગુ તમામ પ્રતિબંધો 30 એપ્રિલ સુધી યથાવત્ રહેશે.નોંધનીય છે કે આ અગાઉ ઓડિશા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, પંજાબ અને તેલંગાણાની સરકારે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ લોકડાઉન મામલે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે.આ અંગેની જાણકેરી વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી હતી.બુધવારે 14 એપ્રિલના રોજ 21 દિવસના લોકડાઉનનની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે.એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લોકડાઉનની સમય મર્યાદા લંબાવવામાં આવશે.