‘તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જો તું નહીં રહે તો મારી નાખીશ’, પરિણીતાને પુત્ર સાથે ઉપાડી જબરદસ્તી શરીરસુખ માણ્યું

HM News
2 Min Read

– પરિણીતાનું તેના પુત્ર સાથે અપહરણ કર્યુ… કાઠિયાવાડ ખાતેથી અપહરણકર્તાની ચૂંગાલમાંથી છૂટ પરિણીતા પરત આવી

દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસી ગામના એક યુવકે નજીકનાં ગામની પરિણીતા તેના પુત્ર સાથે બહારગામ જવા માટે રોડની સાઈડ માં ઉભી હતી.આ સમયે સીમલધાસી ગામનો એક યુવક ત્યાં મોટરસાઇકલ લઈને આવ્યો હતો.અને તેને કહેલ કે ચાલ તારે કંઈ જવુ છે.

હું તને મૂકી આવીશ તેમ કહી ગાડી ઉપર બેસાડીને કાઠિયાવાડ તરફ્ લઈને ભાગી ગયો હતો.બન્નેને કાઠીયાવાડ લઈ જઈ ૧૨ દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી પરણિતા ઉપર અવાર નવાર દુષ્કર્મ કર્યુ હતુ.પરણિતા જેમ તેમ કરી ઈસમના ચંગુલમાંથી છુટી ઘરે પરત આવી સઘળી હકીકત જણાવી હતી.

દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસી ગામે રહેતો વિકેશભાઈ ભારતભાઈ રાઠવા ગત મે માસમાં પણ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાના ઘરે મોટરસાઈકલ લઈ આવ્યો હતો.પરણિતાને કહ્યુ કે, હું તને મારી પત્ની તરીકે રાખવા લઈ જવાનો છું અને જો તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાખીશ તેમ કહી ધાકધમકીઓ આપી હતી.

અપહરણ કરી પરણિતા અને તેના પુત્રને કાઠીયાવાડ લઈ ગયો હતો.જ્યાં વાડીમાં એક મકાનમાં બન્ને માતા-પુત્રને બાર દિવસ સુધી ગોધી રાખ્યાં હતાં.

આ દરમ્યાન વિકેશભાઈએ પરણિતાને કહેલુ કે, તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જો તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધાકધમકીઓ આપી પરણિતાની સાથે તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *