ન્યુ દિલ્હી,તા.૨૨
તિરૂવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, ૨૦૧૯માં અદાણી એન્ટરપ્રાઇઝ ૫૦ વર્ષ સુધી તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને ઓપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીધી હતી. કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. કેરળ સરકારે ત્રીજી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાધવામાં આવતા તેમનો પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાથી હાલમાં આ અંગે કોઇ પણ ટિપ્પણી કરી શકાય તેમ નથી.
બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ ૧૬૮ રૂપિયા, રાજ્ય સરકારની માલિકીના કેર સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ ૧૩૫ રૂપિયા અને જીએમઆર ગ્રુપે ૬૩ રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી.
તિરૂવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપાતા કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી
Leave a Comment