By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તીન તિગડા, કામ બિગડા : એકનાથ શિંદે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તીન તિગડા, કામ બિગડા : એકનાથ શિંદે
GeneralMumbai

તીન તિગડા, કામ બિગડા : એકનાથ શિંદે

HM News
Last updated: 02/05/2023 8:23 AM
HM News
2 years ago
Share
Pic : Twitter
SHARE

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે સોમવારે (1 મે)ના રોજ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે.એનસીપીના નેતા જયંત પાટીલના નિવેદન પર તેમણે કહ્યું છે કે, અમે જનતા માટે કામ કરી રહ્યા છીએ,જેમને રાજનીતિ કરવી છે તે કરે.જનતા નક્કી કરશે કે મુખ્યપ્રધાન કોણ હશે.પોસ્ટર લગાવવાથી કોઈ મુખ્યપ્રધાન બનતું નથી.અમે જનતાના સેવક છીએ અને જનતાની સેવા કરતા રહીશું.વિપક્ષમાં સીએમ પદ માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.મહાવિકાસ આઘાડી તીન તિગડા,કામ બિગડા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી NCP નેતા અજિત પવાર પાર્ટી છોડશે તેવી અટકળો ચાલી રહી છે.દરમિયાન, મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે દાવો કર્યો હતો કે પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યના આગામી મુખ્યપ્રધાન કરશે.એનસીપી ચીફ શરદ પવારના તાજેતરના નિવેદન બાદ આ દાવો મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે વધુ એક તિરાડ પેદા કરી શકે છે.પાટીલે કહ્યું કે, શરદ પવારના નેતૃત્વમાં એનસીપી ઝડપથી વધી રહી છે અને પાર્ટી મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવનાર તમામ પક્ષોને પછાડી દેશે.

સાંગલીના ઇસ્લામપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પાટીલે કહ્યું હતું કે, હાલમાં મહા વિકાસ અઘાડી (MVA) અને NCPને રાજ્યભરના લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.સંતોષ એ વાતનો ચકે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન એનસીપીના જ હશે.આ હવે લગભગ દરેક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.અમારી પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે.મને ખાતરી છે કે NCP વડાના નેતૃત્વમાં NCP ભવિષ્યમાં રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે.

અજિત પવારે આ અટકળોને ફગાવી

જયંત પાટીલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અજિત પવારના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વધી રહી છે અને તેમના સમર્થકો ઘણા શહેરોમાં હોર્ડિંગ્સ લગાવી રહ્યા છે,જેમાં તેમને આગામી મુખ્યપ્રધાન બનવાનું કહેવામાં આવ્યું છે.જોકે, અજિત પવારે પાર્ટી છોડવાની અટકળોને ફગાવી દીધી છે.તેમણે કહ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો શરદ પવારના નેતૃત્વમાં એકજૂટ છે.

ગુગલ પર ભિખારીની ઇમેજ ધરાવતા ઈમરાન ઉપર ખાંડ કૌભાંડ ધૂણ્‍યુ : 1 અબજના ભ્રષ્ટાચારનો આરોપ
ખતરનાક તબક્કામાં પહોંચ્યું યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ, પોલેન્ડે કરી આ ખાસ જાહેરાત
સીરિયામાં ઈફ્તાર પાર્ટીમાં આઈએસના આતંકીએ સાતની હત્યા કરી
કોરોનાકાળમાં કાળા કપડાં પહેરી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન
સુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા : પોલીસે સ્થતિ સંભાળી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતીઓના રૂપિયા જોઈએ છે, પણ ગુજરાતીઓ ગમતા નથી : નીતેશ રાણે
Next Article પુણેમાં પોલીસે રાતના 10 વાગ્યા પછી ચાલુ રહેલો રહેમાનનો શો બંધ કરાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up