By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તુર્કીના મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવા મામલે સામે આવ્યું પોપનું નિવેદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તુર્કીના મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવા મામલે સામે આવ્યું પોપનું નિવેદન
GeneralInternational

તુર્કીના મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવા મામલે સામે આવ્યું પોપનું નિવેદન

HM News
Last updated: 13/07/2020 10:54 AM
HM News
5 years ago
Share
SHARE

ઈસ્તંબુલ, તા. 13 જુલાઈ 2020, સોમવાર

ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયની અનેક દેશોમાં ટીકા થઈ રહી છે ત્યારે પોપ ફ્રાન્સિસે પણ તુર્કી સરકારના આ નિર્ણય મામલે નિરાશા વ્યક્ત કરી છે. પોપના કહેવા પ્રમાણે તેઓ સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયને લઈ ખૂબ જ દુખી છે. સેન્ટર પીટર્સ સ્કેવર ખાતે સાપ્તાહિક પ્રાર્થના સભા દરમિયાન પોપે જણાવ્યું કે, ‘મારૂં ધ્યાન ઈસ્તંબુલ તરફ જઈ રહ્યું છે. સેન્ટ સોફિયા અંગે વિચારીને મને ખૂબ દુખ થાય છે.’

હકીકતે આ મ્યુઝિયમ મૂળરૂપથી એક ચર્ચ હતું અને ઉસ્માનિયા સલ્તનત દરમિયાન આ ચર્ચને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું.ત્યાર બાદ 1930ના દશકામાં તુર્કીમાં મસ્જિદને ફરીથી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે કોર્ટના ચુકાદા બાદ આ પ્રાચીન સ્મારકને ફરી એક વખત મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું છે અને 24 જુલાઈના રોજ તે સ્થળે પહેલી નમાજ પઢવામાં આવશે.

વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચેજ એ એર્દોગન સમક્ષ મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનો નિર્ણય પાછો લેવાની માંગ કરી છે.આ તરફ વર્લ્ડ ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનના ઈસ્તંબુલના ધાર્મિક નેતા પૈટ્રિઆર્ક બાર્થોલોમ્યુએ પણ આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે આશરે 1,500 વર્ષ જુનુ હાગિયા સોફિયા જે કદી ચર્ચ હતું તે હવે મુસ્લિમો, ઈસાઈઓ અને વિદેશી લોકો માટે ખુલ્લુ રહેશે. એર્દોગને જણાવ્યું કે,તુર્કીએ પોતાના સાર્વભૌમત્વના અધિકાર અંતર્ગત તેને મસ્જિદમાં ફેરવ્યું છે અને આ પગલાની ટીકાને તેમના સાર્વભૌમત્વ પર હુમલા તરીકે જોવામાં આવશે.

ગ્રીસે પણ તુર્કી સરકારના આ પગલાની ટીકા કરી છે.જ્યારે UNESCOના કહેવા પ્રમાણે તેમની વિશ્વ હેરિટેજ સમિતિ હાગિયા સોફિયાની સ્થિતિની સમીક્ષા કરશે.

તુર્કી સરકારના આ નિર્ણયથી તેની મહત્વપૂર્ણ વૈશ્વિક સીમાઓ અને હેરિટેજને લઈ અનેક પ્રકારના સવાલો થવા લાગ્યા છે.

વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર : સ્થાનિક ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ કેમ છે ? આ 3 મુદ્દા સરકારને નડી શકે
1 ઓક્ટોબરથી બદલાતા આ નિયમો અંગે જાણો લો, આપના ખર્ચ પર સીધી થશે અસર
‘કોરોના’ ચાઈના ની લેબ માં બન્યો છે ! નોબલ પુરુષકૃત વૈજ્ઞાનિક ડૉ. તાસૂકું નો મોટો ખુલાસો
ઓલપાડ તાલુકામાં 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી
હિન્દુ યુવક સાથે દેખાતી મુસ્લિમ યુવતીનો વીડિયો વાયરલ કરતા ગ્રુપનું રાજ્યવ્યાપી નેટવર્ક : પાંચને રિમાન્ડ
Share This Article
Facebook Email Print
Previous Article રૂસમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો લોકો, કરી રાજીનામાની માગ
Next Article નેતાનું શુદ્ધિકરણ: કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોનું રાશન હડપી લેવાનો આરોપ લગાવતા, ભાજપ સરકારમાં આવતા જ ખાદ્યમંત્રી બનાવ્યા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up