By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તોફાનમાં ફસાયેલ સ્પાઇસજેટની ફ્લાઇટના ઉડ્ડયન પર પ્રતિબંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તોફાનમાં ફસાયેલ સ્પાઇસજેટની ફ્લાઇટના ઉડ્ડયન પર પ્રતિબંધ
GeneralNational

તોફાનમાં ફસાયેલ સ્પાઇસજેટની ફ્લાઇટના ઉડ્ડયન પર પ્રતિબંધ

HM News
Last updated: 03/05/2022 4:32 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : રવિવારે મુંબઈથી દુર્ગાપુર જતી વખતે સ્પાઇસજેટના વિમાનની દુર્ઘટના અંગે મહત્ત્વની જાણકારી સામે આવી છે.આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ ડીજીસીએએ સ્પાઇસજેટની સેવા રોકી દીધી છે.કોલકાતામાં બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે.આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે.ડીજીસીએએ તપાસ પછી વિમાનના ક્રૂ, વિમાનના મેઇન્ટેનન્સ એન્જિનીયર (એએમઇ) અને સ્પાઇસજેટના મેઇન્ટેનન્સ કંટ્રોલ સેન્ટરના વડાને તાજેતરમાં કામ કરતા અટકાવી દીધા છે.આ વડાએ જ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી વિમાન ઉડવા માટેની મંજૂરી આપી હતી.સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસજેટના વિમાનોા કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે.

ડીજીસીએએ પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું કે ૧૪ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે.તેમા ક્રૂના ત્રણ સભ્ય પણ ઇજા પામ્યા છે.તેમને ખભા, માથે અને ચહેરા પર ઇજા થઈ છે.આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ જણાવ્યું હતું કે ડીજીસીએએ ઘટનાની તપાસ માટે કારણો જાણવા આદેશ આપ્યો છે.સ્થિતિને ઘણી ગંભીર બતાવાઈ રહી છે અને તપાસ પૂરી થયા પછી તેના કારણો શેર કરવામાં આવશે.

સ્પાઇસજટના વિમાને શનિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ઉડ્ડન ભરી હતી. વિમાન દુર્ગાપુરના કાઝી નજરુલ કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટ સુધી પહોંચ્યું હતું.તે સમયે ઉતરાણ કરતી વખતે ખરાબ વાતાવરણના લીધે તોફાનમાં ફસાઈ ગયું હતું.તેના પછી તેની કેબિન અને સામાન પડવા લાગ્યો.તેના લીધે વિમાનમાં પ્રવાસ કરતા ૪૦ મુસાફરોને ઇજા થઈ હતી.જો કે પાયલોટ વિમાનને સલામત લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્ફોટકનો જથ્થો ત્રીજી વાર ઝડપાયો
૩૧ લાખનું લશ્કર ધરાવતા ઇઝરાયેલ પાસે ૧૫ લાખથી વધુ મહિલા સૈનિકો
દમણના ડાભેલ પછી હવે કચીગામની ચાલીઓમાં રહેતા કામદારોમાં કોરોના સંક્રમણ વધ્યું
આગામી વર્ષના આઇટીઆર ફોર્મમાં ક્રિપ્ટો આવક માટે એક અલગ કોલમ હશે
લોકડાઉન : રાજયોને અપાઈ છૂટછાટ છતાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ, આ તારીખોમાં થશે મોટી જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના રસી લેવા મજબૂર ન કરી શકાય : ફરજિયાત રસીની માગ સુપ્રીમે ફગાવી
Next Article ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતાનો નવો રાજકીય પક્ષ બનાવે તેવી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up