નવી દિલ્હી : રવિવારે મુંબઈથી દુર્ગાપુર જતી વખતે સ્પાઇસજેટના વિમાનની દુર્ઘટના અંગે મહત્ત્વની જાણકારી સામે આવી છે.આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ ડીજીસીએએ સ્પાઇસજેટની સેવા રોકી દીધી છે.કોલકાતામાં બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે.આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે.ડીજીસીએએ તપાસ પછી વિમાનના ક્રૂ, વિમાનના મેઇન્ટેનન્સ એન્જિનીયર (એએમઇ) અને સ્પાઇસજેટના મેઇન્ટેનન્સ કંટ્રોલ સેન્ટરના વડાને તાજેતરમાં કામ કરતા અટકાવી દીધા છે.આ વડાએ જ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી વિમાન ઉડવા માટેની મંજૂરી આપી હતી.સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસજેટના વિમાનોા કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે.
ડીજીસીએએ પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું કે ૧૪ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે.તેમા ક્રૂના ત્રણ સભ્ય પણ ઇજા પામ્યા છે.તેમને ખભા, માથે અને ચહેરા પર ઇજા થઈ છે.આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ જણાવ્યું હતું કે ડીજીસીએએ ઘટનાની તપાસ માટે કારણો જાણવા આદેશ આપ્યો છે.સ્થિતિને ઘણી ગંભીર બતાવાઈ રહી છે અને તપાસ પૂરી થયા પછી તેના કારણો શેર કરવામાં આવશે.
સ્પાઇસજટના વિમાને શનિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ઉડ્ડન ભરી હતી. વિમાન દુર્ગાપુરના કાઝી નજરુલ કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટ સુધી પહોંચ્યું હતું.તે સમયે ઉતરાણ કરતી વખતે ખરાબ વાતાવરણના લીધે તોફાનમાં ફસાઈ ગયું હતું.તેના પછી તેની કેબિન અને સામાન પડવા લાગ્યો.તેના લીધે વિમાનમાં પ્રવાસ કરતા ૪૦ મુસાફરોને ઇજા થઈ હતી.જો કે પાયલોટ વિમાનને સલામત લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યો હતો.