ત્રણ વર્ષ જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સુરત જિલ્લા તલાટી મંડળે કલેકટર અને DDOને આવેદનપત્ર પાઠવ્યું : આંદોલન કરવાની ચીમકી

HM News
2 Min Read

સુરત : છેલ્લા ત્રણ વર્ષથી સતત તલાટી મંડળને સરકારે આપેલા વચનો અંગે વારંવાર રજુઆત કરવા છતાં પણ સરકાર તરફથી કોઈ સકરાત્મક અભિગમ ન દાખવવામાં આવતા આજરોજ ગુજરાત રાજય તલાટી કામ મંત્રી મહા મંડળ દ્વારા તેમની રજુઆત સંદર્ભે સુરત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું હતું જેમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અન્યથા અવનદાર દિવસોમાં તલાટી મંડળ અને તેના સભ્યો દ્વારા જો પડતર પ્રશ્નો ન ઉકેલાઈ તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય તાલટી કમ મંત્રી મંડળના સભ્યોએ વર્ષ 2018 માં સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓને લઇ લેખિત રજુઆત કરી હતી.જેમાં તલાટી મંડળના મુખ્ય પ્રશ્નો અંગે જે તે સમયે હડતાળ પણ કરવામાં આવી હતી અને આ બાબતે સરકારે સુખદ નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી જેને લઇ સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓએ આંદોલન સમેટી લીધું હતું છતાં પણ આજ દિન સુધી તેમના પડતર પ્રશ્નો અંગે કોઈ જ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ મંડળના પ્રમુખ પંકજ મોદી,મહામંત્રી સહદેવ રાણાના દિશા નિર્દેશ અંતર્ગત સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદેદારો જેમાં પ્રમુખ અજીતભાઈ ચૌધરી અને મહામંત્રી વિજય પટેલની આગેવાનીમાં અનેક સભ્યોએ સાથે મળીને પોતાની પડતર માંગણીઓ બાબતે સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ ગઢવીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી અને જો સમયસર ઉકેલ ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

વધુમાં જો આવનારા દિવસોમાં પડતર પ્રશ્નો નહીં ઉકેલાઈ તો રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનના કાર્યકમો યોજાવમાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *