By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP ની બમ્પર જીત, અગરતલા કોર્પોરેશનમાં TMC અને CPI નું ખાતુ ખોલ્યું નહીં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP ની બમ્પર જીત, અગરતલા કોર્પોરેશનમાં TMC અને CPI નું ખાતુ ખોલ્યું નહીં
GeneralNationalPolitics

ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP ની બમ્પર જીત, અગરતલા કોર્પોરેશનમાં TMC અને CPI નું ખાતુ ખોલ્યું નહીં

HM News
Last updated: 29/11/2021 8:46 AM
HM News
4 years ago
Share
SHARE

અગરતલા : ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 334માંથી 329 સીટો પર જીત મળી છે.તો અગરતલા સહિત અન્ય કોર્પોરેશનમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઈનું ખાતુ પણ ખુલ્યું નથી.ભાજપે અગરતલાના તમામ 51 વોર્ડો પર જીત મેળવી છે.

રવિવારે સવારથી ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 13 નગર પાલિકાની 222 સીટો માટે ચાલી રહેલી મત ગણતરી પૂરી થઈ ચુકી છે.તેમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. ભાજપે ખોવાઈ નગર પાલિકા, કુમારઘાટ નગર પાલિકા,સબરૂમ નગર પાલિકા,અમરપુર નગર પાલિકા,પાર્ટી કૈલાશહર,તેલિયામુરા,મેલાઘર અને બેલોનિયા નગર પરિષદો સિવાય ધર્મપુર અને અંબાસા નગર પાલિકાઓ,પાનીસાગર,જિરાનિયા અને સોનાપુરા નગર પંચાયતોમાં પણ શાનદાર જીત હાસિલ કરી છે.

શહેરી વિસ્તારમાં પાલિકાની 334 સીટો

રાજ્યમાં શહેરી સ્થાનીક સ્વરાજ્યની 334 સીટો છે. જેમાં ભાજપે 329 સીટો પર જીત મેળવી છે.ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા પાર્ટી ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે, ત્રિપુરા કોર્પોરેશન ચૂંટણીના પરિણામોએ પૂર્વોત્તર રાજ્યોમાં પગ જમાવવાના ટીએમસીના નકલી દાવાને ઉજાગર કર્યા છે અને રાજ્યના લોકોને ભાજપ પર વિશ્વાસ છે.

દિલીપ ઘોષે ટીએમસી કાર્યકર્તાઓને ગણાવ્યા ભાડાના લોકો

ઘોષે અહીં સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર કરનાર તૃણમૂલ કાર્યકર્તાઓને ભાડાના લોકો ગણાવ્યા અને કહ્યું કે, ભાજપ અને રાજ્યના લોકો વચ્ચે મજબૂત સંબંધ છે.તેમણે કહ્યું કે, ટીએમસી ત્રિપુરામાં ત્યાં સુધી ખાતું ન ખોલી શકે જ્યાં સુધી ભાજપ કોઈ સીટ પર ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય ન કરે.

લોકોને ભાજપમાં વિશ્વાસ છેઃ દિલીપ ઘોષ

ઘોષે કહ્યું, “મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે.ત્રિપુરામાં તૃણમૂલનું ખાતું ખોલવાની કોઈ શક્યતા નથી. તેણે માત્ર દેખાવો કર્યા.આ આદેશ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના ભાડૂતી સૈનિકો ભાજપમાં વિશ્વાસ ધરાવતા રાજ્યમાં પાર્ટીને તેનો આધાર બનાવવામાં મદદ કરી શકતા નથી.

રાજકોટ : નલ સે ગટરકા જલ ! વોર્ડ ઓફિસમાં માટલાફોડ
ડ્રગ્સ રેકેટમાં મોટાભાગના રાંદેર એરિયાના : કોઝવે-ગોરાટ રોડ વેચાણ માટે સ્વર્ગ સમાન
દિલ્હી સ્થિત બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતે આઠ દર્દીઓનાં મોત
ખાલીસ્તાનીઓના કથિત ભિંડરાંવાલે બનવા નીકળેલા અમૃતપાલના એકસ્ટ્રા મેરીટલ અફેર્સ, બ્લેકમેઈલિંગ.. વોઈસ નોટથી ખુલ્યા રાઝ !
સાપુતારા સહિત આહવાના ગામડામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત
Share This Article
Facebook Email Print
Previous Article ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો
Next Article ઓમિક્રોન સ્વરૂપ સામે હાલની રસીઓ હથિયાર હેઠા મૂકે તેવી આશંકા : ગુલેરિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up