દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાયરેક્ટ ગ્રાહકોને કેરીનું વેચાણ કરી શકશે પણ છૂટક વેચાણ નહિં થાય

HM News
3 Min Read

– આવતીકાલ તા. 9મીથી હોલસેલ માર્કેટ બંધ થઈ રહી હોવાથી ખેડૂતો સહકારી મંડળી થકી કેરીનું વેચાણ કરી શકે તે માટે પાલિકા દ્વારા ગોઠવાઈ વ્યવસ્થા

સુરત : કોરોના વાયરસના શહેરમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને આવતીકાલ તા.9મી મેનાં રોજથી અઠવાડિયા માટે શહેરની હોલસેલ શાકભાજી માર્કેટ બંધ થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ ચૂકેલા કેરીના પાકનું સીધું જ ગ્રાહકોને વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા સુરત પાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે.પ્રથમ વખત કેરીના વેચાણમાંથી બ્રોકર નીકળી જશે અને ગ્રાહકો તથા વેપારી સીધા સંપર્ક આવશે.

મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ આજરોજ તા. 8મીના રોજ આપેલી માહિતી આજે રાતના 12 વાગ્યાથી એપીએમસી માર્કેટ બંધ થઈ રહ્યું છે તેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરીના દામ મળી રહે અને કોઈપણ પ્રકારે લોકો સુધી કોરોનાનું સંક્રમણ ન પહોંચે તેથી ખેડૂતો ડાયરેક્ટલી પોતાના વાહનમાં આવીને કેરીનું વેચાણ કરે તેવી એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે.ખેડૂતો તેમના વિસ્તારની સહકારી મંડળીઓ થકી શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોતાના વાહનમાં કેરીનું બોક્સમાં વેચાણ થઈ શકશે.વિનંતી છે કે જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો કેરી વેચવા આવે ત્યારે છૂટક વેચાણ કરવાનું નથી અને કોઈએ પણ કેરી લેવાની નથી પણ આખુ કેરેટ જ લેવાનું છે.

સુરતમાં આજની તારીખે કુલ કેસ 808, અત્યાર સુધી 400 દર્દીઓ ડિસ્ચાર્જ

આજની તારીખે શહેરમાં કોરોના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 782 છે,આજરોજ કુલ નવા 26 કેસ નોંધાતા અત્યાર સુધી કોરોના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 808 પર પહોંચી છે.આજે લિંબાયતના એક વ્યકિતનું કોરોના પોઝિટીવ હોવાના કારણે મૃત્યુ છે,જોકે તેઓને અન્ય બિમારીઓ પણ હતી.સુરતનો કોરોના પોઝિટીવિટી રેટ 5.5 છે.અત્યાર સુધી કુલ 400 લોકો ડિસ્ચાર્જ થયા છે અને તેથી એવું કહી શકાય કે સુરતનો રિકવરી રેટ 50 ટકાની આસપાસ નોંધાયો છે તે ખૂબ આનંદની વાત છે.

લિંબાયતમાં એપીએક્સ સર્વેલન્સ હેઠળ આજે 54,000 ઘરોનો સરવે

લિંબાયતમાં એપીએકસ સર્વેલન્સ સિસ્ટમ અપનાવવામાં આવી છે અત્યારે લિંબાયતમાં 271 ટીમોએ 54,000 ઘરોના સરવે કરતા 20 એઆરઆઈ કેસ મળ્યાં છે. રેડ ઝોન સમાન આ વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા 263 જગ્યા પર ટેમ્પરરી હાથ ધોવા માટે મશીન ગોઠવીને વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાંથી 200 મશીનમાં ફૂટ ઓપરેટેડ સિસ્ટમ છે.

21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન એ જ ચેઈન તોડવાનો શ્રેષ્ઠ ઉપાયઃ મ્યુ. કમિશનર

સુરત ભારતનું ઈકોનોમી હબ છે અને તેમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સૌ નાગરિકો સાથે મળીને લોકડાઉનની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવે. અને આમ ન કરવાના કારણે જ આ સંક્રમણ વધ્યું છે.જો 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવે તો સંક્રમણ આગળ ના જઈ શકે માટે જો દરેક વ્યકિત પોતાની ફરજ સમજીને 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાળવે તો જ સ્થિતિ પર કંટ્રોલ લાવી શકાય.વાયરસની આ ચેઈનને બ્રેક કરવા માટે 21 દિવસનું સૂંપર્ણ લોકડાઉન ખૂબ જરૂરી હોવાનું મ્યુ.કમિશનરે જણાવ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *