દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના કુવૈતમાં કામ અર્થે ગયેલા 200 લોકો લોકડાઉનમાં ફસાયા

HM News
1 Min Read

વલસાડ, 18 મે : દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના કુવૈતમાં કામ અર્થે ગયેલા 200 થી વધુ લોકો લોકડાઉનમાં ફસાયા છે.આ તમામ શ્રમિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને સંબોધી એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી મિશન વંદે ભારત દ્વારા તેઓને વતન બોલાવવામાં આવે એવી માંગ કરી છે.

ગુજરાતના વલસાડ,દમણ,સેલવાસ,સુરત,નવસારી,વલસાડ,આણંદ વડોદરા જેવા અનેક સ્થળે રહેતા અને સુથારી કડીયા કામ કરતા મજૂરો પોતાનું પેટિયું રળવા માટે અખાતી દેશોમાં વર્ષોથી જતા રહ્યા છે પરંતુ કોરોનાને પગલે અચાનક લોકડાઉન થતા 200 જેટલા લોકો અખાતી દેશમાં ફસાયા છે.

કુવૈતમાં એ બી જે કંપનીમાં કે એન પી સીમાં અમીના અહેમદી રિફાઇનરીમાં શટડાઉન થતા વડોદરા,આણંદ,સુરત,નવસારી અને વલસાડના 200 જેટલા શ્રમિકો બેરોજગાર બન્યા છે અને લોકડાઉનને પગલે કુવૈતમાં ફસાયા છે.તેઓ હાલ જ્યાં રહે છે તે રૂમ પર કોઈ કોરોનાનો કેસ નથી,પરંતુ ભવિષ્યમાં વધવાની આશંકા હોવાથી 200 જેટલા ભારતવાસી શ્રમિકોએ વંદે ભારત મિશન અંતર્ગત તેઓને સરકાર ભારત પરત લાવે એવા હેતુથી આ ફસાયેલા 200 શ્રમિકોએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે.આ વીડિયોમાં દરેક શહેરના ધારાસભ્ય પાલિકા પ્રમુખ રાજયપ્રધાનના નામોને સંબોધીને વીડિયો બનાવી તેઓને પરત ભારત લઈ જવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ત્યારે હવે જોવાનું એ છે કે અહીંના રાજકીય નેતાઓ,ધારાસભ્ય કે મુખ્ય પ્રધાન ફસાયેલા લોકો માટે શું કરશે…?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *