By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીઓ આવતીકાલે શેરડીના ભાવ જાહેર કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીઓ આવતીકાલે શેરડીના ભાવ જાહેર કરશે
GeneralSouth Gujarat

દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીઓ આવતીકાલે શેરડીના ભાવ જાહેર કરશે

HM News
Last updated: 30/05/2020 12:10 PM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : 31મી મે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતની તમામ શુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવશે.છેલ્લા દશ વર્ષમાં 2016-17માં શેરડીના ભાવ સૌપ્રથમ વખત ટન દીઠ 4 હજારને પાર કરી ગયો હતો.પરંતુ છેલ્લા બે વર્ષથી 3000 થી 3100નો જ ભાવ મળી રહ્યો છે ત્યારે આ વખતે ચૂંટણીનું વર્ષ હોય ખેડૂત સભાસદોને સારા ભાવ મળવાની આશા છે.

દર વર્ષે શેરડીના આખરના ભાવ નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી માર્ચના રોજ જાહેર થતાં હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે લાગુ લોકડાઉનમાં ભાવ જાહેર કરવાની તારીખમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી.રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ખાંડ નિયામકના પત્રને આધારે અંતે 31મી મેના રોજ તમામ સુગર ફેક્ટરીઓએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક બોલાવી ભાવ નક્કી કરવા માટે જણાવ્યુ હતું.જેના અનુસંધાને આવતીકાલે એટલે કે 31મી મેના રોજ સુગર મિલના સંચાલકો ભાવ જાહેર કરવા માટે બેઠક કરશે.જેમાં ખેડૂતોને શેરડીના ટન દીઠ મળનારા ભાવ માસવાર જાહેર કરવામાં આવશે.કોરોનાના કારણે બજારો બંધ રહ્યા હોય ખાંડનું વેચાણ થઈ શક્યું નથી જેના કારણે પણ ભાવ પર અસર થવાની સંભાવના છે. પરંતુ આ વર્ષે લગભગ તમામ સુગર ફેક્ટરીઓમાં વ્યવસ્થાપક સમિતિની મુદ્દત પૂરી થતી હોય ચૂંટણી થવાની છે જેને કારણે સત્તા ટકાવી રાખવા માટે શાસકો ખેડૂતોને સારા ભાવ આપી ખુશ કરશે તેવી શક્યતાને લઈ ખેડૂતોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.છેલ્લા દસ વર્ષના ભાવોની વાત કરવામાં આવે તો સૌથી વધુ ભાવ 201-17માં આપવામાં આવ્યો હતો.ગણદેવી શુગર ફેક્ટરીએ ઇતિહાસમાં સૌપ્રથમ વખત 4 હજારનો આંક વટાવી ટન દીઠ 4441 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો.ત્યાર પછીના બે વર્ષમાં ગણદેવી શુગર ફેક્ટરીને બાદ કરતાં એક પણ સુગર ફેક્ટરી 3 હજારની ઉપર ભાવ આપી શકી ન હતી.ત્યારે આ વખતે સંચાલકો ખેડૂતોને ખુશ કરવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

રાજ ઠાકરે રામલલ્લાનાં દર્શને જશે, MNSનાં ચલો અયોધ્યા પોસ્ટર્સ લાગ્યા
કોરોનાના 2 વર્ષ બાદ 23થી 25મી જૂન શાળા-પ્રવેશોત્સવ યોજાશે
કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
રમઝાનમાં નાગરવાડામાં શહેરી બાદ પોલીસ પર પથ્થરમારો, પકડાયેલા 10થી પાંચ કોરોનાગ્રસ્ત
બિહાર વિધાનસભા ચૂંટણી: RJD, કોંગ્રેસ મહાગઠબંધન વિજય ભણી
Share This Article
Facebook Email Print
Previous Article બોઈંગ કોરોના સંકટને કારણે 12,000 કર્મચારીઓની છટણી કરશે
Next Article લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up