– રાજાવતને ફાયનાન્સ સેક્રેટરીનો ચાર્જ
દમણ : સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના પ્રશાસનમાં ફરજ બજાવતા દમણ ડીએમસીના સીઓ સહિત પાંચ દાનિક્સ અધિકારીની કેન્દ્ર સરકારે બદલી કરી છે જેની સામે દિલ્હીથી નવા પાંચ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા દાનિક્સ અધિકારી (દિલ્હી, અંદામાન અને નિકોબાર આઇસલેન્ડ સિવિલ સર્વિસ) ગુરપ્રિતસિંગ, નિધી સિરોહે, રાકેશ દાસ, રાજીવ રંજન અને હર્ષિત જૈનની બદલી થઇ છે.
જોકે, તેમના સાથે સરકારે સંઘપ્રદેશ દાનહ અને દમણ માટે વિવેક અગ્રવાલ,સુરેશચંદ્ર મીણા,વિવેકકુમાર,અરૂણ ગુપ્તા અને જતિન ગોયલનો સમાવેશ થાય છે.જતિન ગોયલ દાનિક્સ અધિકારી અંદામાન નિકોબારથી બદલી થઇને પ્રદેશમાં ટ્રાન્સર્ફર કરી છે.તો બીજી તરફ અગાઉ દમણ કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલા ગૌરવસિંહ રાજાવતને સંઘપ્રદેશમાં ફરી બદલી કરાતા તેમને ફાયાન્સ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.