By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દરિયાપુર-શાહપુરમાં રથયાત્રા દોડાવવાથી ભક્તો દર્શનથી વંચિત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દરિયાપુર-શાહપુરમાં રથયાત્રા દોડાવવાથી ભક્તો દર્શનથી વંચિત
AhmedabadGeneral

દરિયાપુર-શાહપુરમાં રથયાત્રા દોડાવવાથી ભક્તો દર્શનથી વંચિત

HM News
Last updated: 23/06/2022 6:26 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપથી પસાર કરવામાં આવતી હોવાથી તે વિસ્તારમાં રહેતા અને એકત્ર થતાં ભક્તજનો ભગવાનનાં દર્શનથી વંચિત રહી જાય છે તેવી રજૂઆત શહેર એકતા સમિતિની બેઠકમાં થઇ હતી. મેયર કિરીટભાઇ પરમાર દ્વારા રથયાત્રા પરંપરાગત રીતે નીકળે અને શહેરમાં શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે માટે મંગળવારે સ્ટે.કમિટી રૂમમાં અમદાવાદ શહેર એકતા સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં એકતા સમિતિનાં સભ્યો દ્વારા અનેકવિધ રજૂઆતો કરવામાં આવી હતી,જેમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન નાયક દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા અને ટ્રકોને ઝડપથી પસાર કરાવવામાં આવતાં હોઇ ભક્તો દર્શનથી વંચિત રહી જાય છે.

એકતા સમિતીનાં સભ્ય ડો.લલિત લોઢા દ્વારા રથયાત્રામાં જોડાતી ટ્રકોમાંથી ચોકલેટ સહિત અન્ય પ્રસાદ ઉછાળવાનું બંધ કરાવવા તેમજ ટ્રકવાળા(અંદર બેઠેલા)લોકો નારાજ થાય તેવા ઉચ્ચારણો ન કરે તે જોવા રજૂઆત કરવામાં આવી હતી.મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જ પસાર થશે અને રથયાત્રાનાં આયોજન માટે મ્યુનિ.અને પોલીસતંત્રની કામગીરી પ્રશંસનીય છે,ફક્ત સાંજના સમયે રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તે સમયે સ્ટ્રીટ લાઇટ્સ અને હેલોજન લાઇટની યોગ્ય વ્યવસ્થા થાય તે જરૂરી છે.

એકતા સમિતિનાં અન્ય સભ્યોએ રથયાત્રામાં જોડાતી ટ્રકોમાં ટેબ્લો વગેરે કારણે ઉંચાઇ વધતી હોય તો રોડ ઉપર નડતાં વાયરો વગેરે દૂર કરાવવા,વૃક્ષોનું ટ્રીમિંગ કરાવવા,પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા વગેરે પ્રકારનાં સૂચન કર્યા હતા.જેનાં જવાબમાં જોઇન્ટ પોલીસ કમિશનર સી.પી.યાદવે જણાવ્યું હતું કે,શહેરમાં રથયાત્રા પર્વ પ્રસંગે શાંતિ અને એખલાસ જળવાઇ રહે તે માટે સમાજનાં વિવિધ વર્ગનાં આગેવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.મ્યુનિ.કમિશનર લોચન સેહરાએ જણાવ્યું હતું કે,રથયાત્રા માટે મ્યુનિ.તંત્ર એક મહિનાથી વિવિધ તૈયારીઓ કરી રહ્યું છે.ભયજનક મકાનો,વૃક્ષોના ટ્રીમિંગ,રસ્તા,ફૂટપાથ સેન્ટ્રલ વર્જ વગેરે રિપેર કરી લેવાયા છે.

CM વિજય રૂપાણી પાસે ‘હૈયાવરાળ’ ઠાલવતા વસાવા
ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા
‘ભાજપ-કોંગ્રેસ જાગે’ : હિન્દુ બહુમતિ વિસ્તારમાં મુસ્લિમને સરપંચ તરીકે ચૂંટતા લોકો !!
પૂજા ચવાણ કેસ : શિવસેનાના પ્રધાને CMને રાજીનામું આપ્યું?
RBIનું આક્રમક વલણ યથાવત, 31મી ઓક્ટોબર સુધી આ બેંક પર લાગુ રહેશે પ્રતિબંધ
Share This Article
Facebook Email Print
Previous Article AMCની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 22 જુલાઇ સુધી અમલમાં રહેશે
Next Article આંગડિયામાંથી રૂ.12.94 લાખ લઈને જતો કર્મચારી એલિસ બ્રિજમાં લૂંટાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up