By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાદરાનગર લોકસભાની પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી ભાજપ સામે લડશે : કલાબેન ડેલકરને જનતા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દાદરાનગર લોકસભાની પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી ભાજપ સામે લડશે : કલાબેન ડેલકરને જનતા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ
GeneralPoliticsSouth Gujarat

દાદરાનગર લોકસભાની પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી ભાજપ સામે લડશે : કલાબેન ડેલકરને જનતા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ

HM News
Last updated: 08/10/2021 8:23 AM
HM News
4 years ago
Share
SHARE

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની બેઠક પર લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 30 ઓક્ટોબરના રોજ દાદરાનગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણીનું મતદાન થશે. જોકે સાંસદ મોહન ડેલકર આ બેઠક પરથી ચૂંટાયા હતા પરંતુ તેમનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.તેથી આ બેઠક ખાલી થઈ હતી અને હવે લોકસભાની બેઠક પર 30 ઓક્ટોબર એક પેટાચૂંટણી યોજાશે ત્યારે આ પેટાચૂંટણીમાં મોહન ડેલકરનો પરિવાર અને ભાજપ આમને સામને આવી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે, દાદરાનગર હવેલીની બેઠક પરથી મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકરે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.ભાજપે પણ આ બેઠક પરથી તેમના ઉમેદવારની જાહેરાત કરી છે.ભાજપ તરફથી આદિવાસી યુવા ચહેરા મહેશ ગાવિતને ટિકિટ આપવામાં આવી છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકર શિવસેનામાંથી ચૂંટણી લડી શકે છે.મહત્ત્વની વાત છે કે, મોહન ડેલકરનું નામ દાદરાનગર હવેલીમાં ખૂબ જ મોટું હતું.હવે તેમનો પરિવાર પણ રાજનીતિમાં સક્રિય થયો છે. મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકરે ચૂંટણીની તમામ જવાબદારી દીકરા અભિનવ ડેલકરને સોંપી છે.એટલે હવે દાદરાનગર હવેલીમાં ભાજપ અને મોહન ડેલકરનો પરિવાર આમને સામને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.મોહન ડેલકરના પરિવાર સાથે ભાજપની સીધી ટક્કર થશે.

મહત્વની વાત છે કે, મોહમ ડેલકર દાદરાનગર હવેલીના સાત વખત સાંસદ રહી ચૂક્યા છે.તેઓ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી પણ ચૂંટણી લડ્યા અને જીત્યા. 2019ની ચૂંટણીમાં મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.તેઓ ભાજપ કોંગ્રેસના ઉમેદવારની સામે જીતી ગયા હતા.

મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની સી ગ્રીન હોટલના એક રૂમમાંથી મળી આવ્યો હતો.તેમના મૃત્યુ પાછળ દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા પરંતુ મોહન ડેલકરનું મોત કયા કારણે થયુ હતું તે હજુ પણ જાણી શકાયું નથી.તેમના મોતને આત્મહત્યા ગણવામાં આવી રહી છે.તો બીજી તરફ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પરથી જે પેટાચૂંટણી જાહેર થઇ છે.તેમાં 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે અને તે પહેલા જ મોહન ડેલકરના દીકરા અભિનવે જાહેરાત કરી હતી કે, તેમના માતા કલાવતી ડેલકર આ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

સુરતમાં પ્રેમિકાને પામવા બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી પતાવી દીધો ,નાના સાળાની ગર્ભવતી પત્ની સહિત ચારને લાકડાના ફટકા માર્યા
સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન
અંત્રોલીમાં યુવાને કસરત કરવાના વિસબેન્ડ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કોરોનાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સરકારી કચેરીઓમાં પ્રવેશબંધી
ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ડીલ થતા ફ્રાન્સ ભડકયું? આધુનિક ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું બન્યું
Share This Article
Facebook Email Print
Previous Article આર્યન ખાન પર કટાક્ષ કરતા કહ્યું- આ એજ લોકો છે, જેમને ભારતમાં સુરક્ષિત નથી લાગતૂ, ધીમે ધીમે બધી સચ્ચાઈ બહાર આવશે
Next Article ફી કમિટી નક્કી કરેલી ફી નોટિસ બોર્ડ પર લગાવવા સ્કૂલોને હુકમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up