વલસાડ,17 મે : લોકડાઉનમાં શ્રમિકોની પરિસ્થિતી કપરી બનતી જાય છે ત્યારે શ્રમિકોના નામે કોન્ટ્રાકટરો છટકી રહયા છે અને કંપની ઉપર બધી જવાબદારીઓ ઢોળી આંદોલનો,પથ્થરબાજી, અને પગારની ઉઘરાણી કરવી રહયા ના કિસ્સાઓ દાદરા નગર હવેલીમાં સામે આવ્યા છે.આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ જિલ્લા તંત્ર દ્વારા કોન્ટ્રાકટરોને સમજાવવામાં આવ્યા હતા પરંતુ ના સમજતા છેવટે કાર્યવાહી કરવાની ફરજ તંત્ર દ્વારા પડી હતી.દાનહમા રખોલી ઔદ્યોગિક વિસ્તારમાં મજુરો એકત્રિત થયેલા જોવા મળ્યા હતા.મામલતદારની ઉપસ્થિતિમા મજૂરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ત્યાં જ કંપનીના સંચાલકો લેબર કોન્ટ્રાકટર નિલેશ પટેલ,અજીત ચૌહાણ,જીતુ ગાવિત હીરાલાલ મોરે,રામ મોરિયા,સુનાકર પ્રધાન,કેસરીપ્રસાદ યાદવ,વિનોદ પવાર,નીલાચંદ હરિહર નાયક,વિમલ નરેશ પટેલે શ્રમિકોને ભડકાવવાનો પ્રયાસ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.