દિગ્વિજયસિંહ પાક.ના જાસૂસ કહેનારા ભાજપ નેતાઓ વિરુદ્ધ માનહાનિનો દાવો કરશે

HM News
1 Min Read

ન્યુ દિલ્હી,તા.૨૦
૨૦૦૮માં મુંબઈ પર થયેલા પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાને હિન્દુ ટેરરિસ્ટ એટેક સાબિત કરવાનુ કાવતરુ હતુ તેવો દાવો મુંબઈના પૂર્વ પોલિસ કમિશનર રાકેશ મારિયાએ કર્યા બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના નેતાઓ વચ્ચે ખુલ્લો જંગ શરુ થઈ ગયો છે.
ભાજપના બે પ્રવક્તા જેવીએલ નરસિમ્હા રાવ અને અમિત માલવીયે તો આ દાવો થયા બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને આઈએસઆઈના જાસૂસ ગણાવી દીધા હતા. ભાજપના નેતાઓએ આવુ નિવેદન એટલા માટે કર્યુ હતુ કે, મુબંઈ હુમલો થયા બાદ દિગ્ગી રાજાએ આરએસએસ અને બજરંગદળ તરફ આંગળી કરી હતી.
માલવીયનુ કહેવુ છે કે, આતંકી હુમલા બાદ કોંગ્રસના નેતા દિગ્વિજયસિંહે બોલીવૂડની કેટલીક સેલિબ્રિટી સાથે મળીને એક પુસ્તકનુ લોકાર્પણ કર્યુ હતુ. જેમાં આરએસએસ પર આરોપ લગાવ્યા હતા અને પાકિસ્તાની આતંકીઓનો આ હુમલામાં હાથ હોઈ શકે તેવી શંકા સુધ્ધા જાહેર કરાઈ નહોતી.
બીજી તરફ દિગ્વજિયસિંહે કહ્યુ છે કે, મને પાકિસ્તાનના જાસૂસ કહેવા બદલ આ બંને નેતાઓ પર હુમ માનહાનિનો દાવો કરીશ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *