નવી િદલ્હી : ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડસના કુદ્સ ફોર્સના એક મહત્વના સભ્ય હસન સૈય્યદ ખોદયારીની રવિવારે તહેરાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ હત્યા બાઈક પર આવેલા અજ્ઞાત બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી છે.ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર આ હત્યા ઇઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદે કરાવી છે.મોસાદે દિલ્હીના ચાણક્યપુરીમાં પોતાના ડિપ્લોમેટ પર થયેલા હુમલાનો બદલો લીધો છે.ઈઝરાયેલ અને સાથે જ ઇરાની મીડિયાએ પોત-પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે હસન સૈય્યદ ખોદયારી 2012માં દિલ્હીમાં એક ઇઝરાયેલી ડિપ્લોમેટ પર થયેલા હુમલાનો કથિત માસ્ટર માઈન્ડ હતો.આ માસ્ટર માઈન્ડની ઓળખ હોશંગ અફસર ઈરાની તરીકે થઈ હતી,જેણે દિલ્હી સ્થિત ઇઝરાયેલી ડિપ્લોમેટના વાહન પર આઈઈડી સ્ટિક લગાવી હતી.પોતાના બાળકોને લેવા જઈ રહેલી ડિપ્લોમેટની પત્ની તાલ યેહોશુઆ કોરેન ગંભીર રીતે ઘાયલ થઈ હતી.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કર્નલ હસન એક દિવસ પછી થાઈલેન્ડમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ માટે પણ જવાબદાર હતા.
ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર ખોદયારી કુદ્સ ફોર્સના અત્યંત ગુપ્ત યૂનિટ 840માં કામ કરતો હતો અને એ આ યૂનિટમાં ઈઝરાયેલીઓ વિરુદ્ધ આતંકવાદી હુમલા કરવા માટે લોકોની ભરતી કરવાનું કામ કરતો હતો.ઇરાનની રાજધાની તહેરાનમાં બે હુમલાખોરોએ કર્નલ હસન સૈયાદ ખોદયારીને એ સમયે પાંચ ગોળી મારી,જ્યારે એ પોતાની કારમાં હતો.ભારતીય નંબરનો ઉપયોગ આ ઈરાનના નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યો હતો.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે,ઈરાની નાગરિક દિલ્હીમાં બોમ્બર હતો.તેણે હુમલાનું ષડયંત્ર રચવા માટે મહિનાઓ પહેલા ભારતની મુલાકાત લીધી હતી.જે દિવસે હુમલો કર્યો,એ જ દિવસે દેશ છોડીને જતો રહ્યો હતો.