- સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
દિલ્હી : સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.લોકોમાં ખૂબ જ હળવા લક્ષણો હોય છે તેવા કેસ સતત વધી રહ્યા છે.છેલ્લા 2 દિવસમાં 84% કેસ ઓમિક્રોનના હતા.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે.
દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 3.64 ટકાથી વધીને 4.59 ટકા થઈ ગયો છે.અહીં રવિવારે 3194 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા,જે 227 દિવસમાં સૌથી વધુ છે.અગાઉ ગત વર્ષે 20 મેના રોજ 3231 દર્દીઓ મળી આવ્યા હતા.ચિંતાજનક બાબત એ છે કે બે દિવસમાં કોરોનાના નવા કેસમાં 82.43 ટકાનો વધારો થયો છે.જ્યારે ત્રણ દિવસ પહેલા કરતા લગભગ અઢી ગણા વધુ નવા કેસ નોંધાયા છે.સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર,દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 378 નવા કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.જેના કારણે કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 1243થી વધીને 1621 થઈ ગઈ છે.
બીજી બાજુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દરબારમાં 14 કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જેમાં છ ફરિયાદી,ભોજન બનાવવા આવેલા પાંચ હોટલ સ્ટાફ અને ત્રણ જવાનનો સમાવેશ થાય છે.એન્ટીજન ટેસ્ટમાં આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત સામે આવતાં અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે,દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.હવે આ આંકડો 1700એ પહોંચી ગયો છે.દરરોજ 100થી વધુ નવા ઓમિક્રોન સંક્રમિતો નોંધાઈ રહ્યા છે.તે અત્યાર સુધીમાં 23થી વધુ રાજ્યોમાં ફેલાયો છે.દિલ્હી,મહારાષ્ટ્ર,ગુજરાત,કેરળ,ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ઓમિક્રોન કેસની સૌથી વધુ સંખ્યા નોંધાઈ રહી છે.દિલ્હી,બંગાળ,હરિયાણાસહિત ઘણા રાજ્યો હવે પ્રતિબંધો તરફ વળ્યા છે.