દિલ્હી અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દિલ્હી,નોએડા,એનસીઆર,ગાઝિયાબાદ અને ગુડગાંવમાં જેવા અનેક સ્થળોએ ધરતીકંપના જોરદાર આંચકા મહેસૂસ કરવામાં આવ્યા છે.લોકડાઉનમાં ઘરમાં જ રહેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઇ.ધરતીકંપનું એપિસેન્ટર દિલ્હીની આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.એવામાં લોકો ઘરોની બહાર નિકળી આવ્યા.જે લોકો બહાર ન નિકળ્યા તે પોતાની બાલકનીમાં આવી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ તીવ્રતા 4.0 હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ક્યાંય નહીં પરંતુ દિલ્હીમાં જ છે અને માત્ર 6.5 કિલોમીટર નીચે છે.સામાન્ય રીતે ભૂકંપ વખતે ઘરોની બહાર લોકો આવી જાય છે.પરંતુ લોકડાઉન અને ભૂકંપ બન્નેના કારણે લોકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા હતા.