દિલ્હી
દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ જફરૂલ ઇસ્લામે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભડકાઉ પોસ્ટ કરી છે.જફર ઈસ્લામે આરબ રાષ્ટ્રોને ભારતમાં “હિંદુ કટ્ટરતા” સામે બોલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ નિવેદન બાદ ભાજપના નેતાઓની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. નેશનલ અલ્પસંખ્યક આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે,આ ખુબ જ નિમ્ન કક્ષાનું નિવેદન છે અને દિલ્હી સરકારે આ મુદ્દે તરત જ એક્શન લેવા જોઈએ.
જફરુલ ઇસ્લામ ખાને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે,ભારતીય મુસ્લિમો સાથે ઉભા રહેવા બદલ કુવૈતનો આભાર.જે દિવસે ભારતના મુસ્લિમો આરબ રાષ્ટ્રોને પોતાના પર થતા અત્યાચારની ફરિયાદ કરશે ત્યારે ભારત પર સૈલાબ આવી જશે. દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષની આ પોસ્ટ પર ભાજપે નિશાન સાધ્યું છે.ભાજપના શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે,જફરુલ ઈસ્લામે દેશ વિરોધી પોસ્ટ કરી છે.તેમની પર કડક કાર્યવાહી થવી જોઈએ.
તો બીજી બાજુ દિલ્હીના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને જફરુલ ઇસ્લામ પર પ્રહાર કર્યો હતો અને લખ્યું હતું કે,વાહિયાત અને વિષ ભરેલા વિચાર વાળા જફરુલ ઇસ્લામને તરત જ પોસ્ટ પરથી હાંકી કાઢવામાં આવે.આંતકી જાકીર નાઈકનું તેઓ સમર્થન કરી રહ્યા છે.દેશની અંદર હુમલાઓની વાત કરી રહ્યા છે.એવામાં આતંકી વિચારધારા રાખનારા વ્યક્તિને આમ આદમી પાર્ટીએ અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ બનાવી દીધા છે.અમારી માંગ છે કે તરત જ તેમને પદ પરથી હટાવવામાં આવે.