ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હી હિંસા કેસમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે કોઇ ફરક પડતો નથી કે તેઓ વ્યક્તિ કોણ છે, પછી તે કપિલ મિશ્રા હોય કે બીજું કોઇ, કોઇપણ પાર્ટીથી સંબંધિત હોય, જો તેમને કોઇ ભડકાઉ ભાષણ આપ્યું છે તો તેમની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઇએ.
જો કે પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર ભજનપુરા-મૌજપુર હિંસક ઘટનામાં ઘાયલ ડીસીપી અમિત શર્માની હાલચાલ પૂછવા માટે પટપડગંજ મેક્સ હોસ્પિટલ પહોંચ્યા. ઝાફરાબાદ હિંસામાં ડીસીપી અમિત શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ સોમવાર મોડી રાત્રે તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ અમિત શર્માની સ્થિતિ ગંભીર બની છે.
બે દિવસથી સતત દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે નોર્થ ઇસ્ટ જિલ્લામાં જે લોકો હિંસામાં સામેલ છે, પછી તે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીથી લઇ કોઇપણ પાર્ટીમાં હોય, તેના વિરૂદ્ધ કેસ કરાશે. જો કપિલ મિશ્રાનો પણ હાથ હશે તો તેમના વિરૂદ્ધ પણ કેસ કરશે.
જો કે ૨૨મી જાન્યુઆરીના રોજ શાહીન બાગ બાદ જાફરાબાદ અને ચાંદ બાગમાં રોડ બંધ કરવાની વિરૂદ્ધ રસ્તા પર ઉતરેલા કપિલ મિશ્રાએ ધમકી આપી હતી કે દિલ્હી પોલીસ ત્રણ દિવસની અંદર રસ્તાઓને ખાલી કરાવે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત બાદ પાછા જવા સુધી અમે અહીંથી શાંતિપૂર્વક જઇ રહ્યા છીએ, પરંતુ જો ત્રણ દિવસમાં રસ્તો ખાલી નહીં થાય તો અમે ફરીથી રસ્તા પર ઉતરીશું. ત્યારબાદ અમે દિલ્હી પોલીસનું સાંભળીશું નહીં. કપિલ મિશ્રાના નિવેદન બાદ હિંસા ભડકી ઉઠી.
દિલ્હી હિંસા પર ગૌતમ ગંભીર લાલઘૂમ થયો, કહ્યું : હિંસા ભડકાવી તો છોડીશું નહીં
Leave a Comment