[weather_data]
Breaking News
TRENDING NEWS

દિલ્હી હિંસા પર ભડક્યા જાવેદ અખ્તર, ઈશા ગુપ્તાએ ટ્વિટ કરીને કહ્યું- સીરિયા છે કે દિલ્હી ?

[updated_date] [post_views]

Table of Content

ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત સાત લોકોના મોત થયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારમાં ત્રણ દિવસથી તણાવની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે થયેલી હિંસા બાદ આજે એકવાર ફરી અનેક વિસ્તારોમાં હિંસા અને પત્થરમારો થયો છે. આ હિંસામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીમાં થઈ રહેલી હિંસાને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. આ ઘટના પર એક્ટ્રેસ ઈશા ગુપ્તા અન જાવેદ અખ્તરે પણ ટ્વીટ કર્યું છે.

ઇશા ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘સિરિયા ? દિલ્હી ? હિંસક લોકો હિંસક વ્યવહાર કરી રહ્યાં છે. જે લોકો જેના માટે આ બધુ કરી રહ્યાં છે, શું તેમને તેના વિશે અડધી જાણકારી પણ છે. મારા શહેર અને મારા ઘરને અસુરક્ષિત બનાવી રહ્યાં છે.’

જાવેદ અખ્તરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “દિલ્હીમાં હિંસાનું સ્તર વધી રહ્યું છે. બધા કપિલ મિશ્રા સામે આવી રહ્યાં છે. એક સામાન્ય દિલ્હીવાસીઓ માટે એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે જે પણ થઈ રહ્યું છે તે સીએએ અને વિરોધ પ્રદર્શનના કારણે થઈ રહ્યું છે અને થોડાક દિવસોમાં દિલ્હી પોલીસ તેનો આખરી સમાધાન કરશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles