દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શાંતિ સ્થાપવાની સતત કોશિશ કરી રહી છે: મોદી
એજન્સી, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી હિંસા પર ટ્વીટ કરીને લોકોને શાંતિ સ્થાપવા માટેની અપીલ કરી છે. વડાપ્રધાને આ માટે બે ટ્વીટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદા મામલે ભડકે બળી રહેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુ આંક વધીને 20 સુધી પહોંચી ગયો છે. ટ્વીટ કરીને કહ્યું કે, ‘શાંતિ અને સદ્ભાવના એ ભારતવાસીઓનો મૂળ સિદ્ધાંત છે.’
પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે ‘મેં દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દિલ્હી પોલીસ અને બીજી એજન્સિઓ શાંતિ સ્થાપવા માટે સતત શક્ય તેવા તમામ પ્રયત્નો કરી રહી છે. શાંતિ અને સદ્ભાવ આપણો મૂળ મંત્ર છે. હું દિલ્હીમાં રહેતા મારા ભાઈઓ અને બહેનોને શાંતિ અને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરું છું. દિલ્હીમાં શાંતિનો માહોલ સર્જાય અને જલ્દીમાં જલ્દી પરિસ્થિતિ થાળે પડે ત ખૂબ જ જરૂરી છે.’