By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિવાળીએ ગુજરાત સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > દિવાળીએ ગુજરાત સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે
GandhinagarGeneral

દિવાળીએ ગુજરાત સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે

HM News
Last updated: 03/08/2022 11:54 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત સરકારે તહેવારોમાં ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો છે.ગરીબ વર્ગના રાશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. 197 પ્રતિ લિટર પડતર કિંમત છે. જેમાં 97 રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. 100 રૂપિયામાં એક લિટર સીંગતેલ આપવામાં આવશે.સાતમ-આઠમ અને દિવાળીના તહેવારોમાં આ તેલ રાહત દરે આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.કેબિનેટ બેઠકમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે,જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગર મા હર ઘર તિરંગા યાત્રા નીકળશે.આવતી કાલે સુરત ખાતે સીએમ હર ઘર તિરંગા યાત્રા ની શરૂઆત કરાવશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે. વિશ્વ આદિવાસી દિવસ પર ઝાલોદ ખાતે સીએમ હાજર રહેશે. 1300 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે.લંપી વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.પશુઓ હજારોની સંખ્યામાં સાજા થયા છે અન્ય પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ચિંતા કરવામા આવી રહી છે.

કાર્ડ ધારકો માટે એક મહ્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં પહેલી વખત સિંગતેલ સાતમ આઠમ અને દિવાળી પર આપવામાં આવશે.બે નવી કોલેજો ને કેન્દ્રીય મંત્રાલય ને મજૂરી મળી છે.ગોધરા અને પોરબંધર મા જીમર્સ કોલેજો શરૂ થઈ જશે. ગરબા પર જીએસટી પર લગાવવાના મામલે નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષ જનતાને ભડકાવવાનું કામ કરે છે. 2017મા થયેલ આ નિર્ણય છે.અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ માટે જીએસટી લગાવવા માટેનું નક્કી થયું હતું.સર્વસમતી સાથે આ ઠરાવ થયો છે.

ગુજરાતમાં દારૂની રેલમછેલઃ ૯૮૦૧ ફરીયાદોઃ સરકારને ‘સબ સલામત’નો ‘નશો’
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર, અસંતુષ્ટ કાર્યકરોએ ટિફિન બેઠક કરી
દેશમાં 18 દિવસનું કડક લોકડાઉન લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
અમદાવાદમાં વિધર્મી યુવાને યુવતીને LOVE માં ફસાવી જુદાજુદા સ્થળે શરીર સુખ માણી યુવતીને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
શેરદલાલોને બેંક અને ડીમેટ એકાઉન્ટ ટેગ કરવા સેબીનો નિર્દેશ
Share This Article
Facebook Email Print
Previous Article હર-હર શંભુ ભજન ગાઈને ચર્ચામાં આવેલા ફરમાની નાઝની સંઘર્ષથી સફળતા સુધીની સફર…
Next Article શ્રાવણમાં પ્રચલિત થયું ફરમાની નાઝએ ગાયેલું ‘હર-હર શંભુ..’ ભજન : કટ્ટરપંથીઓ થયા નારાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up