– વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોનું ધ્યાન રાખો કે જેમણે આપના બિઝનેસને મોટો બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી છે.
નવી દિલ્હી : ભારતની દિગ્ગજ માઈનિંગ અને મેટલ કંપની વેદાંતા લિમિટેડના વડા અનિલ અગ્રવાલે વૈશ્વિક મંદી વચ્ચે કંપનીના બિઝનેસમેનને એક મહત્ત્વની સલાહ આપી છે.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોને ધ્યાનમાં રાખો જેમને આપના બિઝનેસને મોટા બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ Vedantaના અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર એક સ્ટોરી શેર કરી છે અને કહ્યું છે કે, એ લોકોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમણે મુશ્કેલીના દોરમાં આપનો સાથ આપ્યો છે.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે જ્યારે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું ત્યારે મશીન પર ધ્યાન આપવાને બદલે એ લોકો અંગે વિચાર કરવામાં આવ્યો કે જેનાકારણે આ કંપની આગળ વધી હતી.
અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, અમારો હેતુ સામાન્ય હતો-જે લોકોએ આપનો મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો,આપે તેમને સન્માન આપવું જોઈએ.વેદાંતા લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ આપના લોકો પર ધ્યાન રાખો કે જેઓ આપના બિઝનેસનું ધ્યાન રાખે છે.
વેદાંતાના લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, અમે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના લોકોની ચિંતાઓને સમજી છે અને સખ્ત મહેનત અને લગનને સન્માન આપ્યું છે. Hindustan Zincની ટીમ સાથે જોડાઈને અમે યૂનિયન લીડર સાથે પોતાના સંબંધ મજબૂત કર્યા અને જૂની સમસ્યાઓના ઉકેલનું બીડું ઝડપ્યું હતું.જે લાંબા સમયથી ચાલી આવી રહી છે.
વેદાંતા લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ મુશ્કેલ દોરમાં સાથ આપનારા સ્ટાફના ભરોસાને લઈને અમે અનેક નવી ઊંચાઈ હાંસલ કરી છે.અમારી કંપનીની મેટલ બનાવવાની કેપેસિટી 5 ગણી વધી ગઈ છે અને આવકમાં 19 ગણો વધારો થયો છે.આ સાથે જ હિન્દુસ્તાન ઝિંકમાં અમે એક મજબૂત વર્કફોર્સ બનાવી છે.અનિલ અગ્રવાલે તેમનો બિઝનેસ ચલાવનારા યુવાઓને પણ સલાહ આપી હતી.આપના બિઝનેસના દિલમાં આપની સૌથી કિંમતી એસેટ વસેલી છે. તે કિંમતી એસેટ આપના પોતાના લોકો કે કર્મચારીઓ છે.આપ તે લોકોનું ધ્યાન જરૂર રાખશો તો તેઓ આપના બિઝનેસને ધ્યાનમાં રાખશે.


