By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
GeneralSurat

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી

HM News
Last updated: 12/09/2020 5:47 AM
HM News
5 years ago
Share
SHARE

ગત 7 સપ્ટેમ્બરના રોજ સુરતના રાંદેરખાતે આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને ક્વોરી ઉદ્યોગ તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 74 વર્ષીય દુર્લભ પટેલે માંડવીના ખંજરોલી ખાતે તેમની સ્ટોન ક્વોરીની ખાણમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેવાની ઘટનામાં તપાસ અધિકારી બારડોલી ડીવાયએસપીએ શુક્રવારના રોજ ફરિયાદમાં રજૂ કરવામાં આવેલી વિગત મુજબ ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી છે.અને અન્ય કેટલીક બાબતોમાં પણ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં તેમના પુત્ર ધર્મેશ પટેલે માંડવી પોલીસ સ્ટેશનમા રાંદેર પી.આઈ લક્ષ્‍મણસિંહ બોડાણા તેમજ અન્ય 11 આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં દુર્લભ પટેલે આત્મહત્યા કરતાં પહેલા સ્વહસ્તાક્ષરે લખેલી સ્યૂસાઇડ નોટમાં સુરતના સબ ડિસ્ટ્રિક્ટ અડાજણ ખાતે ગામ પીસાદમાં આવેલ એક જમીનનો સોદો સ્ટારગૃપના માલીક કિશોર ભૂરા કોશિયા સાથે કર્યા બાદ આ જમીન ખરીદનાર કિશોર કોશિયાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી.જે ઇન્કમટેક્ષની તપાસમાં જમીન સોદાની ચિઠ્ઠી બાબતેની સત્ય હકીકત બહાર આવી હતી.ત્યારબાદ ઇન્કમટેક્ષના કેસમાં દુર્લભભાઈ તેમજ કિશોર કોશિયા ઉપર કેસ ચાલ્યો હતો.તે કેસ દરમ્યાન કિશોર કોશિયાએ ભાગીદાર બાબતે ખોટી માહિતી આપતા ઇન્કમટેક્ષ વિભાગે દુર્લભભાઈ પટેલને 8,49,49,020 ની રકમ તેમજ 4.80 કરોડની પેનલ્ટી સાથે 13 કરોડ રૂપિયા ભરવા માટે ઇન્કમટેક્ષ વિભાગે દુર્લભભાઈને નોટીસ આપી હતી. જે પ્રકરણમાં વિવાદ થયા બાદ જ અંતે દુર્લભભાઈએ આત્મહત્યા કરી લેવી પડી હતી. જે બાબતની માહિતી ઇન્કમટેક્ષ વિભાગ પાસે આઈ.ઓ ડીવાયએસપી રૂપલ સોલંકીએ માંગી છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગુપ્ત તપાસ પણ શરૂ કરી છે.જોકે આ અંગે તપાસ ચાલુ હોવાથી અધિકારી બોલવા તૈયાર નથી.

ફરિયાદી ધર્મેશ પટેલના મોબાઈલમાંથી પોલીસે કેટલાક મહત્વના પુરાવા એકત્રિત કર્યા

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં મુખ્ય સાક્ષી તેમનો પુત્ર ધર્મેશ પટેલ જ છે.તેમણે તેના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાને લઈ કેટલાક મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા હતા. જેમાં પી.આઈ બોડાણાએ ફાર્મ હાઉસનું લોકેશન મોકલ્યું હતું તેમજ અનેક વિગતો તેમના મોબાઈલમાં હતી પોલીસે આ તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

હવે ઇઝરાયેલની જેમ 3 વર્ષ સુધી સેનામાં સેવા આપી શકાશે, મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ‘અગ્નિપથ સ્કીમ’ની જાહેરાત
મણિનગરની નેશનલ સ્કૂલમાં ધો-11ના પ્રવેશ મુદ્દે હોબાળો
દાનહ અને દમણમાં કોરોનાના 2 કેસ
કાળા અંગ્રેજો : દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો
બેન્કોએ આપેલ ધિરાણ 5.52% વધીને રૂ. 102.2 લાખ કરોડે પહોંચ્યુ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો
Next Article સરકારના વધુ એક સંવેદનશીલ નિર્ણયથી ગુજરાતનાં 85 હજાર વકીલોને મળશે આવો મોટો લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up