સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા ટી.પી.7(આંજણા) લિંબાયાત ઝોનની શિવ દર્શન અને ઉષાનગર સોસાયટીના રહિશો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી કલરવાળું,ગંદુ અને વાસ મારતું આવતું હોવાથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.વારંવારની ફરિયાદ છતાં નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.
રજૂઆત છતાં કોઈ પરિણામ નહી
શિવ દર્શન સોસાયટી,ઉષા નગર પાસેની આ સોસાયટીમાં આશરે 28 ગાળા ટાઈપના મકાનો છે.આ મકાનોમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી કલરવાળું,ગંદુ અને વાસ મારતું આવે છે.સ્થાનિકો ઘણી મુશ્કેલી સહન કરી રહ્યા છે.જેની ફરિયાદ સ્થાનિકો ઉપરાંત મારા દ્વારા ઝોન કક્ષાએ 5 વાર કરવામાં આવી છે.ફરિયાદ બાદ છેલ્લા 15 દિવસથી આ સોસાયટી અને આજુબાજુના નજીકના વિસ્તારમાં ઝોન દ્વારા ખોદકામ થયું,દેખાવ પૂરતી કામગીરી થઈ પરંતુ કહેવાતા “સ્માર્ટ” વહીવટનું પરિણામ હજુ સુધી શૂન્ય રહ્યું છે.
તાત્કાલિક કાયમી નિરાકરણની માંગ
સ્થાનિક લોકોની ફરિયાદ સાથે કહ્યું કે,આજદિન સુધી કોઈ સંતોષકારક નિવેડો આવ્યું નહિ.આ ઉપરાંત ઝોનમાં ડ્રેનેજ બાબતની અસંખ્ય ફરિયાદોનું કાયમી ઉકેલ આવતું નથી.મ્યુનિસિપલ કમિશ્નરને વિનંતી છે કે,લીંબાયત ઝોનના અધિકારીઓ જો આવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નબળા અને નિષ્ફળ રહ્યા છે તો આપના માર્ગદર્શન હેઠળ સક્ષમ અધિકારીઓ મારફત પ્રાથમિક સુવિધાઓની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરાવો.