દૂધેશ્વર નજીક બી.આર.ટી.એસ.સ્ટોપ પાસે ખતરનાક ખાડો,તંત્ર નિંદ્રાધીન

HM News
1 Min Read

અમદાવાદ, રવિવાર, 8 મે,2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.આમ છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યુ છે.તંત્ર કેટલી હદે લાપરવાહ છે એ વાતની પ્રતીતી ત્યારે થવા પામી જયારે સ્થાનિક રહીશોએ કોર્પોરેટર સમક્ષ બીઆરટીએસ બસસ્ટોપ નજીક ખરતનાક ખાડો છે જે અંગે અજાણ વાહન ચાલકો અહીંથી પસાર થાય એ સમયે તેમનું ધ્યાન ના હોવાથી વાહન સાથે સ્લીપ થવાથી લોહીલુહાણ થઈ રહ્યા છે એવી રજૂઆત કરવા છતાં ખતરનાક ખાડો પુરવામાં આવ્યો નહોતો.

દિલ્હી દરવાજાથી વાડજબ્રિજ થઈને જતા રુટ ઉપર બીઆરટીએસનું હનુમાનપુરા બસસ્ટોપ આવેલુ છે.આ રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસથી ખતરનાક ખાડો પડયો હોવા છતાં અને સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલ્યુ નહોતું.અનેક વાહન ચાલકો આ ખાડાની બાબતમાં અજાણ હોવાથી પસાર થતી વખતે ઈજાગ્રસ્ત પણ થયા હતા.દરમ્યાન દૂધેશ્વર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ડોકટર ઈકબાલ મન્સૂરી સમક્ષ સ્થાનિક રહીશોએ આ મામલે રજૂઆત કરતા તેમણે મ્યુનિ.કંટ્રોલમાં નોંધાવેલી ફરિયાદ બાદ તંત્ર ખતરનાક ખાડાને પુરવાના બદલે માત્ર કપચી નાંખી સંતોષ માન્યો હોવાનું ડોકટરે પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *