પતંજલિની દવા ‘કોરોનિલ’ અંગેના વિવાદ બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે કોરોનાની દવા પર સારી પહેલ કરી છે. પરંતુ લોકો અમને જ દોષી ગણાવે છે.પતંજલિએ બીમાર લોકોની સારવાર કરી છે. અમારી સાથે નહીં પરંતુ તે લોકો સાથે દયા રાખો જે કોરોનાથી પીડિત છે અને આવા લોકોની સારવાર પતંજલિએ કરી છે.
યોગગુરુ રામદેવે કહ્યું, ‘એવું લાગે છે કે ભારતમાં યોગ,આયુર્વેદનું કામ કરવું એ ગુનો છે.દેશદ્રોહી અને આતંકવાદી હોય તેમ તેમના વિરુદ્ધ અનેક જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.રામદેવે લાઇસન્સ અંગે જણાવ્યું હતું કે,તેમણે આયુર્વેદની દવાઓ બનાવવા માટે યુનાની અને આયુર્વેદ વિભાગનું લાયસન્સ લીધું છે.તે આયુષ મંત્રાલય સાથે સંબંધિત હોય છે.તેમણે એમ પણ કહ્યું કે આયુર્વેદમાં તમામ દવાઓ તેમના સર્વગ્રાહી ગુણોના આધારે નોંધાયેલ છે.
પતંજલિને ઝટકો: કોરોનીલને કોરોનાની દવાના દાવા સાથે નહીં કરી શકાય વેચાણ,દવાને માત્ર ઇમ્યુનિટી બુસ્ટર તરીકે અપાઈ છે મંજૂરી
ઉત્તરાખંડ આયુષ વિભાગે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કોરોનિલને મંજૂરી આપી છે અને તેને ત્રણ દવાઓ બનાવવાનો પરવાનો આપ્યો છે અને નિયમો હેઠળ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે. ઉત્તરાખંડના ડ્રગ લાઇસન્સ અધિકારીએ જણાવ્યું હતું કે પતંજલિએ તેના જવાબમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે ન તો વાયરસથી સારવાર કરવાનો દાવો કર્યો છે કે ન તો દવાના લેબલ પર વાયરસનો કોઈ પ્રતીકાત્મક ફોટોગ્રાફ છાપ્યો છે.
‘જોકે, એક ટીમે પતંજલિની સુવિધાનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે કોરોનિલ લેબલ વાયરસનો સાંકેતિક ફોટો ધરાવે છે. રાજ્યના ડ્રગ લાઇસન્સના અધિકારી વાય.એસ.રાવતે કહ્યું કે અમે પતંજલિને કોઈપણ ગ્રાફિક અથવા આવા દાવાને દૂર કરવા જણાવ્યું છે. એકવાર તે પ્રક્રિયાઓનું પાલન કરશે ત્યારે અમે પરવાનગી આપીશું. ‘
હરિદ્વાર સ્થિત કંપનીએ ગયા અઠવાડિયે કોરોનિલની શરૂઆત કરી હતી,અને એવો દાવો કર્યો હતો કે તે COVID-19 નો ઉપચાર કરી શકે છે.કંપનીએ જણાવ્યું હતું કે દવા જ્યારે અન્ય પતંજલિ પેદાશો સાથે લેવામાં આવે છે ત્યારે સાત દિવસની અંદર ટ્રાયલમાં ભાગ લેનારા તમામ કોરોનાવાયરસ-પોઝિટિવ દર્દીઓનો ઇલાજ થઈ ગયો છે.
આ સુનાવણી, જયપુર સ્થિત ખાનગી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના સહયોગથી કરવામાં આવી હતી. મંગળવારે પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું હતું કે કંપનીએ દવાની જાહેરાત કરી નથી. ‘અમે ક્યારેય કહ્યું નહીં કે દવા (કોરોનિલ) કોરોનાવાયરસનો ઇલાજ અથવા નિયંત્રણ કરી શકે છે,અમે કહ્યું હતું કે અમે દવાઓ બનાવી હતી અને તેનો ઉપયોગ ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલમાં કર્યો હતો જેનાથી કોરોનાવાયરસ દર્દીઓની સારવાર થઈ હતી. તેમાં કોઈ મૂંઝવણ નથી.’ દવાની રજૂઆતના કલાકો બાદ આયુષ મંત્રાલયે પતંજલિને તેના સંશોધન અને તેની રચના અંગેની વિગતો આપવા કહ્યું હતું,કંપનીને આ મુદ્દાની તપાસ થાય ત્યાં સુધી તેની જાહેરાત કરવાનું બંધ કરવાનું કહ્યું હતું. બાદમાં ઉત્તરાખંડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીએ ઉધરસ અને તાવ સામે પ્રતિરક્ષા બૂસ્ટર બનાવવા માટેના લાઇસન્સ માટે જ અરજી કરી હતી.