[weather_data]
Breaking News
TRENDING NEWS

દેશના પોણા બે કરોડ પશુપાલકોના કિસાન ક્રેડીટ કાર્ડ બનશે : લોનમાં રાહત મળશે

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી,તા. 11 : આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત આગામી 31 જુલાઈ સુધીમાં એક કરોડ સિતેર લાખ પશુ પાલક ખેડૂતોના કિસાન ક્રેડીટ કાર્ડ (કેસીસી) બનાવવાનું લક્ષ્‍ય છે. રી ખેડૂતો માટે કેસીસી અંતર્ગત લોનની સીમા 1 લાખ 60 હજારથી વધારીને 3 લાખ સુધી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર પશુપાલકોને આર્થિક રીતે મજબૂત કરી ગ્રામીણ અર્થ વ્યવસ્થાને બળ આપવામાં લાગી છે.પશુપાલકોને પ્રથમવાર ખેડૂતનો દરજ્જો આપીને તેમને પણ કેસીસીનાં દાયરામાં લવાયા છે,જેથી ડેરી કિસાનો (પશુપાલકો)ન રાહતદાયક લોન મળી શકે.

લોનમાં રાહત મળવાથી નાના ખેડૂતો ડેરી ઉદ્યોગથી પોતાની આર્થિક સ્થિતિ બહેતર બનાવી શકશે.દેશના પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે સરકાર 15,000 કરોડ રુપિયાની જોગવાઈ પહેલા જ કરી ચૂકી છે.પશુપાલન અને ડેરી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પશુપાલકોનું કેસીસી બનાવવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત આ વર્ષે દૂધ ઉત્પાદનમાં 10 ટકા વધારો થવાનુંં અનુમાન છે એટલે કે 20.9 લીટર દૂધ ઉત્પાદનનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles