– સરકારે બજેટમાં ગરીબો,ખેડૂતો,મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે યોજનાઓ જાહેર કરી
– નોકરીયાનો માત્ર ટેક્સના સ્લેબમાં રાહત આપવામાં આવી
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2023 બુધવાર : આજે કેન્દ્રીય નાણાં મંત્રીએ દેશનું 2023-24નું અંદાજપત્ર રજુ કર્યું હતું.જેમાં અનેક જોગવાઈઓ અને જાહેરાતો કરવામાં આવી છે.પરંતુ દેશના મધ્યમવર્ગને બજેટમાં શું મળ્યું એ સવાલ સૌના મોઢે ચર્ચાતો રહ્યો છે.ત્યારે આ બેજટમાં મધ્યમવર્ગ માટે કેટલીક જોગવાઈઓ કરાઈ છે.નાણાં મંત્રીએ નોકરીયાતો માટે ટેક્સમાં રાહત આપી છે.મહિલાઓ અને સિનિયર સિટિઝનોને બચત યોજનામાં રાહત આપી છે.તે ઉપરાંત કૃષિ અને નાના સ્ટાર્ટ અપમાં પણ સરકારે કેટલીક યોજનાઓ શરૂ કરવાની વાત કરી છે.
નોકરીયાતોને સાત લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
નોકરીયાત વર્ગને ફરી બજેટમાં નિરાશા હાથ લાગી છે.નાણામંત્રીએ આવકવેરામાં કોઈ રાહતની જાહેરાત કરી નથી.તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે, કેવી રીતે આવકવેરા રિટર્ન ફાઈલિંગ પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે.તેમણે કહ્યું કે આવકવેરા વિભાગે રિટર્નની પ્રક્રિયાની વધુ સરળ બનાવી છે.નાણાકીય વર્ષ 2013-14માં ITR માટે સરેરાશ પ્રોસેસિંગનો સમયગાળો 93 દિવસની હોય છે,જે ઘટીને 16 દિવસ થઈ છે.નાણામંત્રીએ કહ્યું કે, 45 ટકા ITRની પ્રક્રિયા 24 કલાકની અંદર કરાઈ રહી છે.
આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકાનો વધારો કર્યો
સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકાનો વધારો કર્યો છે.જેમાં 79 હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.નાણાં મંત્રીએ કહ્યું હતું કે, અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે અવસરોને સુવિધાજનક બનાવવા માટે,વિકાસ અને રોજગાર સર્જનને ગતિ પ્રદાન કરવા અને વ્યાપક આર્થિક સ્થિરતાને મજબૂત કરવા માટે કેન્દ્રિત છે.
મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે જાહેરાત
અમૃતકાશળમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઈ છે.નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, આ યોજનાનો લાભ બે વર્ષ સુધી ઉઠાવી શકાશે.તેમણે કહ્યું કે, માર્ચ 2025માં બે વર્ષનો સમયગાળો પૂર્ણ થશે.એટલે કે માર્ચ 2025 સુધી મહિલાઓ 2 લાખ રૂપિયા સુધીનું ‘મહિલા સન્માન બચત પત્ર’ ખરીદી શકશે.આના પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.જરૂર પડવા પર આ નાણાંમાંથી અમુક રકમ ઉપાડી શકાશે.સિનિયર સિટીઝનો માટે 15 લાખની લિમિટને વધારીને 30 લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
મધ્યમવર્ગને આમાં રાહત મળશે
મધ્યમવર્ગને મોબાઈલ ફોન,ટીવી,ઈલેક્ટ્રીક વિહિકલ,રમકડાં અને કેમેરાની ખરીદીમાં રાહત મળી શકશે,કારણ કે સરકારે આ વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે.જ્યારે સોનું અને ચાંદી,સિગરેટ સહિતની વસ્તુઓને મોંઘી કરી છે.બજેટમાં નાણામંત્રીએ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો.
ખેડૂતો અને માછીમારોને સરકારે આ રાહત આપી
ખેડૂતો માટે પોષણ,ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે બાજરીના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.અન્ન રાગી,અન્ન બાજરા,અન્ન રામદાના,કુંગની,કુટ્ટુ આ બધાના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે.શ્રીઅન્નના નિર્માણ માટે હૈદરાબાદની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ઘણી મદદ મળી રહી છે.પશુપાલન,ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.મત્સ્યોદ્યોગ માટે કોર્પોરેટ સોસાયટીઓમાં પણ વધારો કરવામાં આવશે.બાગાયત ઉત્પાદન વધારવા માટે 2,200 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
યુવાનો પર સરકારનું ધ્યાન, કૌશલ્ય યુવા કેન્દ્રો સ્થપાશે
સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂકશે અને વિદેશમાં નોકરીનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે 30 કૌશલ્ય ભારત કેન્દ્રો સ્થાપવામાં આવશે.નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને સીધી મદદ કરવામાં આવશે.
આર્થિક રીતે પછાત લોકો માટે પ્રોત્સાહન
સપ્તર્ષિ યોજનાનો ઉલ્લેખ કરતા મોદી સરકારની મહત્વપૂર્ણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.આ મુજબ-સમાવેશક વિકાસ- ખેડૂતો,મહિલાઓ,યુવાનો,ઓબીસી,એસસી,એસટી અને દિવ્યાંગજન અને આર્થિક રીતે પછાત લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે.વંચિતોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ગરીબોને 28 મહિનાથી મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે
તેમણે કહ્યું પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપતાં કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, સરકારે કોરોના કાળમાં એવું નક્કી કર્યું હતું કે, કોઈ ભુખ્યુ ના સુવે,અમારા કાર્યકાળમાં 47.8 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે.તે સિવાય 14 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નીધિ હેઠળ મદદ આપવામાં આવી છે.કોરોના કાળમાં 80 કરોડથી વધુ ગરીબોને 28 મહિનાથી મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે.તે ઉપરાંત હવે પ્રતિ વ્યક્તિની આવક વધીને 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે.
આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપનારી 740 એકલવ્ય સ્કૂલો
જનજાતિય સમૂહોની સામાજિક અને આર્થિક સ્થિતિના સુધારા માટે PMPBTG વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. જેથી PBTG વસ્તીને મુળભૂત સુવિધાઓ આપવામાં આવી શકે.આગામી 3 વર્ષમાં આ યોજનાને લાગુ કરવા માટે 15 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવામાં આવશે. નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપનારી 740 એકલવ્ય સ્કૂલો માટે 38800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિયુક્તિ કરાશે.