By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘દેશને તાલિબાન નહીં બનવા દઈએ’ : ઉદયપુર હત્યાકેસની નિંદા કરતા અજમેર દરગાહ પ્રમુખનુ નિવેદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘દેશને તાલિબાન નહીં બનવા દઈએ’ : ઉદયપુર હત્યાકેસની નિંદા કરતા અજમેર દરગાહ પ્રમુખનુ નિવેદન
GeneralNational

‘દેશને તાલિબાન નહીં બનવા દઈએ’ : ઉદયપુર હત્યાકેસની નિંદા કરતા અજમેર દરગાહ પ્રમુખનુ નિવેદન

HM News
Last updated: 29/06/2022 9:10 AM
HM News
3 years ago
Share
SHARE

ઉદયપુર, તા. 29 જૂન 2022 બુધવાર : ઉદયપુરમાં ધોળે દિવસે દરજીની હત્યાએ દરેકને ચોંકાવી દીધા છે. હવે સમગ્ર દેશમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે.ઉદયપુર હત્યાકાંડ પર હવે અજમેર દરગાહ દીવાન જૈનુલ આબેદીન અલી ખાને પણ પ્રતિક્રિયા આપી છે.તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યુ ભારતના મુસલમાન દેશમાં ક્યારેય પણ તાલિબાની માનસિકતાને સામે આવવા દેશે નહીં.ઉદયપુરમાં બે લોકોએ એક દરજીની હત્યા કરી દીધી અને ઓનલાઈન વીડિયો પોસ્ટ કરતા કહ્યુ કે તેઓ ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે.

જૈનુલ આબેદીન અલી ખાને એક નિવેદનમાં કહ્યુ, કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી.ખાસ કરીને ઈસ્લામ ધર્મમાં તમામ શિક્ષાઓ શાંતિના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.તેમણે કહ્યુ ઈન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં, અમુક બિન-નૈતિક મગજોએ એક ગરીબ વ્યક્તિ પર ક્રૂર હુમલો કર્યો,જેને ઈસ્લામી દુનિયામાં પાપ માનવામાં આવે છે.આરોપી અમુક કટ્ટરપંથી જૂથના ભાગ હતા જે હિંસાના રસ્તે સમાધાન શોધે છે.

તેમણે કહ્યુ, હુ આ કૃત્યની દ્રઢતાથી નિંદા કરુ છુ અને સરકાર પાસે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વિનંતી કરુ છુ.ભારતના મુસલમાન આપણી માતૃભૂમિમાં ક્યારેય પણ તાલિબાનીકરણની માનસિકતાને સામે આવવા દેશે નહીં.ત્યાં જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ હત્યાની નિંદા કરી.તેમણે એક નિવેદનમાં કહ્યુ, જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો તેને કોઈ પણ પ્રકારથી યોગ્ય ઠેરવી શકાય નહીં, આ દેશના કાયદા અને અમારા ધર્મ વિરુદ્ધ છે.

હત્યાના આરોપમાં રિયાજ અખ્તરી અને ગૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.એક વીડિયો ક્લિપમાં અખ્તરીએ જાહેરાત કરી કે તેમણે તે વ્યક્તિનુ માથુ કાપી દીધુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા કહ્યુ કે તેમના ચાકુ તેને પણ મળી જશે.પરોક્ષ રીતે હુમલાખોરોએ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને મુદ્દે પાર્ટીમાંથી સસ્પેન્ડ ભાજપ નેતા નૂપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો.દરજી કન્હૈયા લાલની તાજેતરમાં જ સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયા પર તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ માટે ધરપકડ કરી હતી.

દશેરા – દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
ઓવૈસીની સભા પહેલા સંભલ જિલ્લાને ગાઝીઓની ધરતી ગણાવતા પોસ્ટરો લગાવાયા
ટીઆરપી સ્કેમમાં ફૂટ્યો નવો ફણગો, ‘અર્ણબે મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા’, બાર્કના પાર્થો દાસગુપ્તાનો સનસનીખેજ દાવો
કોંગ્રેસના ધારાસભ્યને ડેમ નો ડર નથી ૨૦૨૨ નો ડર છે : મંત્રી નરેશ પટેલ
મલાડમાં રામનવમીએ રમખાણ મચાવવાનું પૂર્વનિયોજિત કાવતરું હતું
Share This Article
Facebook Email Print
Previous Article મદરેસામાં ભણતા લોકોમાં મહિલાઓનું સન્માન નથી,મુખ્ય કામ બાળકો પેદા કરવાનું : UNESCO
Next Article NCERT પુસ્તકમાંથી ગુજરાત રમખાણોના એપિસોડને હટાવવા પર શા માટે હોબાળો? રાજકીય પક્ષો બાળકોને હિંદુ વિરોધી કેમ બનાવવા માગે છે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up