– દેશમાં કોરોના નબળો પડયો
– ચોથી લહેરના સંકેત વચ્ચે 18 વર્ષથી વધુ વયના દરેકને બૂસ્ટર ડોઝ અંગે સરકારની વિચારણા
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસ નબળો પડી ગયો છે.આ સ્થિતિ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૧૫૪૯ કેસો સામે આવ્યા હતા.જ્યારે વધુ ૩૧ લોકોના મોત નિપજ્યા હતા.
હાલ કોરોના વાઇરસની ચોથી લહેર આવવાના સંકેતો કેટલાક નિષ્ણાંતો આપી રહ્યા છે.આ સ્થિતિ વચ્ચે જો ચોથી લહેર આવે તો ૧૮ વર્ષથી વધુ વયના દરેક લોકોને બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ આપવા અંગે સરકાર વિચારી રહી છે.હાલ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વાઇરસની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે જ્યારે જે ૬૦ વર્ષથી વધુ વયના છે તેમને પણ બુસ્ટર ડોઝ અપાઇ રહ્યો છે.
આ સ્થિતિ વચ્ચે હવે ૧૮ વર્ષની વયના દરેક વ્યક્તિને પણ કોરોના વાઇરસનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.કેન્દ્ર સરકાર દ્વારા હાલ આ અંગે વિચારણા ચાલી રહી છે.જોકે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી.દેશભરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.