કુલ ૧,૯૮,૭૦૬ કેસ, ૫૫૯૮ના મોત: ૯૭૫૮૧ લોકો સાજા થયા
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો સતત યથાવત જ રહ્યો છે. કુલ કોરોના દર્દીઓની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા – ૨૪ કલાકમાં ફરી એક વખત આઠ હજારથી વધુ કોરોના દર્દી સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યાર સુધી દેશમાં ૧,૯૮,૭૦૬ દર્દીઓ મળ્યા છે.મૃતકોની સંખ્યા ૫૫૯૮ થઈ ગઈ છે.અત્યાર સુધી ૯૫૫૨૭ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂકયા છે યારે ૯૭૫૮૧ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૭૦૦૧૩ થઈ ગઈ છે. તેમાંથી ૩૭૫૪૩ લોકોની સારવાર ચાલી રહી છે તો ૩૦૧૦૮ લોકો સાજા થઈ ચૂકયા છે. રાજ્યમાંમાં અત્યાર સુધી ૨૩૬૨ દર્દીઓના મોત થયા છે.દિલ્હીમાં ૨૦૮૩૪ કોરોનાના દર્દી છે જેમાંથી ૮૭૪૬ લોકો સાજા થઈ ચૂકયા છે.તામીલનાડુમાં કોરોનાના દર્દીઓની વાત કરીએ તો અહીં ૨૩૪૯૫ દર્દી નોંધાયા છે જેમાંથી ૧૦૪૧૪ સક્રિય દર્દી છે.આ ઉપરાંત ૧૩૧૭૦ લોકો સાજા થઈ ચૂકયા છે જયારે ૧૮૪ લોકોના મોત નિપયા છે.કોરોનાથી પ્રભાવિત ગુજરાતમાં અત્યાર સુધી ૧૭૨૦૦ દર્દી મળ્યા છે જેમાંથી ૫૩૫૭ સક્રિય દર્દી છે અને ૧૦૭૮૦ લોકો સાજા થઈ ગયા છે.અત્યાર સુધી અહીં ૧૦૬૩ લોકોના મોત નિપયા છે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના ૮૦૭૫ કેસ મળ્યા છે જેમાંથી ૨૧૭ લોકોના મોત,બિહારમાં ૩૯૨૬ કેસ,૨૪ના મોત,ઝારખંડમાં ૬૫૯ કેસ અને પાંચ લોકોના મોત નિપયા છે.
ચોમાસામાં કોરોના મુસિબત વધારશે: કેસમાં થઈ શકે છે વધારો
દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ચોમાસાના ટકોરા મુશ્કેલ વધારી શકે છે.વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જૂનના અતં અથવા જૂલાઈમાં ચોમાસું સક્રિય થવાની સાથે કેસમાં વધારો થઈ શકે છે. આ હવામાનમાં જાપાની ઈન્સેફેલાઈટિસ, ડેંગ્યુ અને મલેરિયાના કહેરને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય એજન્સીઓ અને સ્થાનિક તત્રં ઉપર દબાણ વધશે જે પહેલાંથી જ કોરોના સામેના જંગમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.
ઈન્ડિયન ઈન્સ્િટટયુટ ઓફ સાયન્સ-બેંગ્લોર અને ડેટા ઈન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈના શોધકર્તાઓએ કહ્યું કે ચોમાસામાં સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે.તાપમાનમાં ઘટાડાથી તેમાં ઉછાળો આવવાની આશંકા છે.આઈઆઈએસસી બેંગ્લોરના પ્રોફેસર રાજેશ સુંદરેશને કહ્યું કે અવર-જવરમાં ઢીલથી પહેલાંથી જ કેસો વધી રહ્યા છે અને ચોમાસાથી એ કહેવું મુશ્કેલ હશે કે ગ્રાફ કેટલો ઉપર જશે. દિલ્હી, મુંબઈમાં ડેંગ્યુ, મલેરિયા જેવા રોગો સામેથી લડાઈમાં જ સ્વાસ્થ્યકર્મીઓની મોટી ટીમ કામે લગાડવી પડશે.
એરોસોલ અથવા શરદી-ઉધરસ દરમિયાન બહાર આવનારા ટીપાથી કોરોના ફેલાય છે પરંતુ જળવાયુમાં ફેરફારની સાથે આ ટીપામાં વાયરસ વધુ સમય સુધી જીવિત રહી શકે છે.નિષ્ણાતોએ કહ્યું કે તમામ રાયોએ કોરોના સામેના જંગમાં જ સ્વાસ્થ્યકર્મીઓને લઈને તમામ સ્થાનિક એજન્સીઓને કામે લગાડી દીધી છે.આવામાં પૂર,ઈન્સેફેલાઈટિસ,ડેંગ્યુ-મલેરિયા જેવા રોગો સામે લડવા માટે કર્મચારીઓ અને બજેટની ખાધનું સંકટ વધશે.

