(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮ : દેશમાં કોરોનાના નવા ૩૪૫૧ કેસ નોંધવામાં આવ્યા છે.આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૧,૦૨,૧૯૪ થઇ ગઇ છે.દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને ૨૦,૬૩૫ થઇ ગઇ છ તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.દેશમાં કોરોનાથી વધુ ૪૦ લોકોનાં મોત થવાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૪,૦૬૪ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૩૩૨નો વધારો થયો છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૦.૯૬ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૮૩ ટકા થયો છે.રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૯૦.૨૦ કરોડને પાર થઇ ગઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોનાથી થયેલા મોત પૈકી ૩૫ કેરળમાં, બે દિલ્હીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એક-એક મોત નોંધવામા આવ્યું છે.
કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૫,૨૪,૦૬૪ લોેકોનાં મોત થયા છે.જૈ પૈકી ૧,૪૭,૮૪૬ મહારાષ્ટ્રમાં, ૬૯,૨૪૫ કેરળમાં, ૪૦,૧૦૩ કર્ણાટકમાં, ૩૮,૦૨૫ તમિલનાડુમાં, ૨૬,૧૭૯ દિલ્હીમાં, ૨૩,૫૦૯ ઉત્તર પ્રદેશમાં અને ૨૧,૨૦૩ પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના નવા ૩૪૫૧ કેસ ઃ વધુ ૪૦નાં મોત, કુલ મૃત્યુઆંક ૫,૨૪,૦૬૪
Leave a Comment