– નરેન્દ્ર મોદીને રાહુલે ‘એક નમૂનો’ કહ્યાં
– ભગવાનને પણ મોદી દર્શાવી શકે તેમ છે કે, બ્રહ્માંડ કેવી રીતે રચાયું : રાહુલના મોદી ઉપર ઉગ્ર પ્રહારો
સાન્તાક્લેરા : અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભાજપ ઉપર ખૂબ જ વરસ્યા તેઓએ કહ્યું : ‘અત્યારે ભારતમાં મુસ્લિમોની સ્થિતિ દલિતો જેવી થઈ ગઈ છે. અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે તેમની ‘ભારત જોડો’ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા તે યાત્રા યોજવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા.વધુમાં કહ્યું કે આજે મુસલમાનો સાથે જે કૈં થઈ રહ્યું છે તેવું દલિતો સાથે ‘૮૦ના દશકમાં થઈ રહ્યું હતું.પરંતુ તે સમયે તેઓ તે ભૂલી ગયા કે ‘૮૦ના દશકમાં તો ઇન્દિરા ગાંધીના નેતૃત્વ નીચેની કોંગ્રેસ સરકાર હતી.
વિશેષત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ‘વરસતા’ તેમણે કટાક્ષમાં કહ્યું કે, ‘ભગવાનને પણ નરેન્દ્ર મોદી દર્શાવી શકે તેમ છે કે, બ્રહ્માંડ કઈ રીતે બન્યું ?’
આ સાથે રાહુલે નરેન્દ્ર મોદીને ‘એક નમૂનો’ કહ્યા હતા પરંપરા પ્રમાણે રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસ. સંગઠનો ઉપર કબજો જમાવવાની અને કેન્દ્રીય એજન્સીનો દુરૂપયોગ કરવના પણ આક્ષેપો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે બ્રિટનની યુનિવર્સિટીમાં પણ તેમણે આ મુદ્દાઓ ઉપર જ ભાજપને ઘેર્યું હતું.રાહુલ ગાંધીના આ કથનો અંગે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે ભાજપે તેમની ઉપર નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.હરિયાણા સરકારમાં મંત્રીપદે રહેલા અરવિંદ વિજે કહ્યું હતું કે, દુનિયાભરના દેશોના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા થાકતા નથી પરંતુ આપણા દેશના એક નેતા રાહુલ ગાંધી વિદેશની ભૂમિ ઉપર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનિત કરે છે. આવા નેતાનો તો દરેક ભારતીયોએ બહિષ્કાર કરવો જોઈએ.
બીજી તરફ વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં આવવા લાગ્યા છે.શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે : ‘કોંગ્રેસના નેતાએ કશું ખોટું નથી કહ્યું. તેમણે તો દેશના મુદ્દાઓ ઉઠાવ્યા છે. જો કે, અત્યારે તો દેશમાં રાજકારણ ચલાવવું બહુ જ કઠોર બની રહ્યું છે.’
તે જે હોય તે પરંતુ વિશ્લેષકોનો તો તેવો સ્પષ્ટ મત રહ્યો છે કે, કોઈ પણ ભારતીયે વિદેશમાં તો દેશની સરકાર કે વડાપ્રધાન, મંત્રીમંડળના સભ્યો કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ (ઉપપ્રમુખ) કે દેશના પ્રમુખ (રાષ્ટ્રપતિ) વિરૂદ્ધ બોલાય જ નહીં રાહુલ ગાંધીની તે ભૂલ છે.