By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશ માં કોંગ્રેસ નું ‘જહાજ’ ડૂબી રહ્યું છે, જુના કૉંગ્રેસીઓ જ ‘નેતૃત્વ’ પરિવર્તન ની કરી રહ્યા છે માંગ!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશ માં કોંગ્રેસ નું ‘જહાજ’ ડૂબી રહ્યું છે, જુના કૉંગ્રેસીઓ જ ‘નેતૃત્વ’ પરિવર્તન ની કરી રહ્યા છે માંગ!!
GeneralNationalPolitics

દેશ માં કોંગ્રેસ નું ‘જહાજ’ ડૂબી રહ્યું છે, જુના કૉંગ્રેસીઓ જ ‘નેતૃત્વ’ પરિવર્તન ની કરી રહ્યા છે માંગ!!

HM News
Last updated: 25/08/2020 6:11 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં આઝાદી બાદ થી લઈ સતત 70 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ હવે લગભગ પતન ના આરે છે અને હવે પાર્ટી ઉપર એકજ પરિવારના શાસન સામે સવાલો ઉઠી રહયા છે અને હવે આ સિંહાસન બહાર ની ટેલેન્ટેડ વ્યક્તિ ને સોંપવા માંગ મજબૂત બની રહી છે.

ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં વસમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી સતત પીછેહટ કરતી જણાઈ રહી છે અને નેતૃત્વ બદલવાની વાતો વચ્ચે સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં સોનિયા ગાંધી ફરી એક વાર વચગાળાના પ્રમુખ તરીકે ચૂંટાતા પીઢ કોંગીજનો નારાજ થયા છે હકીકતમાં સોનિયા ગાંધીને પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓના સંગઠનમાં ફેરફારવાળા પત્ર બાદ જ રાજીનામાંની રજૂઆત કરી દીધી હતી.જોકે ત્યારબાદ કોંગ્રેસના ‘વિરોધી’ નેતાઓએ સોનિયાને વચગાળાના અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા પછી બેઠક માટેની રણનીતિ પણ તૈયાર કરી હતી જે ભારે ચર્ચાસ્પદ બની હતી.સોનિયાને વચગાળાના અધ્યક્ષા તરીકે નિયુક્ત કર્યા બાદ કપિલ સિબ્બલ, શશી થરૂર સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ સોમવારે સાંજે ગુલામ નબી આઝાદીના ઘરે બેઠક કરી હતી.આ બેઠકમાં મુકુલ વાસનિક અને મનીષ તિવારી તેમજ કેટલાક અન્ય નેતાઓ હાજર રહ્યા હતા જેમણે પત્ર પર સહી કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં સીડબ્લ્યુસી પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.નોંધપાત્ર વાત એ છે કે સીડબ્લ્યુસીની સાત કલાકની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સંભવિત રીતે હાથ મજબૂત કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો.

સોનિયાના વફાદાર માનવામાં આવતા અહેમદ પટેલે પણ સોનિયાને પત્ર લખનારા એ નેતાઓ પર નિશાન સાંધ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા પત્ર લખનારા નેતાઓથી ભારે નારાજ છે.સોનિયાને જે રીતે વચગાળાના અધ્યક્ષા તરીકે ચૂંટવામાં આવ્યા છે તેમની પાર્ટીમાં તેમનું સ્થાન વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું છે.તે જ સમયે, વિરોધ કરનારાના નેતાઓ માટે પક્ષમાં વધતી મુશ્કેલીઓનાં સંકેત છે.

બીજી તરફ હવે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓમાંના એક વિવેક તન્ખા પણ છે રાજ્યસભાના સભ્ય વિવેક તન્ખા એ કહ્યું કે અમે બળવાખોર નથી,પરિવર્તનના વાહક છીએ અને મજબૂત નેતા જ ઇતિહાસ બનાવી શકે.વિવેક તન્ખાએ મંગળવારે લખ્યું, ‘મિત્રો અમે બળવાખોર નથી,આપણે પરિવર્તનના વાહક છીએ.પત્ર નેતૃત્વને પડકારવા માટે નહોતી લખી,પરંતુ પાર્ટીને મજબૂત કરવા માટે લખી હતી.સાર્વભૌમિક સત્ય એ છે કે સર્વશ્રેષ્ઠ સંરક્ષણ જરૂરી છે,પછી ભલે તે કોર્ટ હોય કે જાહેર બાબતો.ઇતિહાસ બહાદુરનો સ્વીકાર કરે છે નહીં કે ડરપોક નો.

રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મુકુલ વાસ્નિક, વિવેક તન્ખા સહિત 23 નેતાઓએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.આ પત્રમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયાને પૂર્ણકાલિન અને જમીની સ્તર પર સક્રિય અધ્યક્ષ બનાવાની અને સંગઠનને ઉપરથી નીચે સુધી બદલવાની માંગણી કરી હતી.

આ પત્ર માટે ગઈકાલે સીડબલ્યુસીની એક બેઠક બોલાવવામાં આવી હતી.આ સમય દરમ્યાન કોંગ્રેસના નેતૃત્વમાં પરિવર્તન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. સોનિયા ગાંધીની અધ્યક્ષ પદ પર વધુ થોડા મહિના બની રહેવાની સહમતિ બની.કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી આવતા છ મહિનામાં કરવામાં આવશે.આમ કોંગ્રેસની બેઠક જ્યાંથી સમાપ્ત થઈ ત્યાંથી શરૂ થઈ.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘પાર્ટીની આંતરિક બાબતોની મીડિયા અથવા જાહેર પ્લેટફોર્મ પર ચર્ચા થઈ શકે નહીં.તમામ નેતાઓને કહેવામાં આવ્યું હતું કે પાર્ટીને લગતા મુદ્દાઓને પાર્ટીને લગતા મંચ પરથી જ મૂકવા જોઈએ, જેથી પાર્ટીમાં શિસ્ત રહે.એઆઇસીસીનું આગામી સત્ર બોલાવવામાં આવે ત્યાં સુધી સોનિયા ગાંધીએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે રહેવું જોઈએ,જેનો તેમણે સ્વીકાર કર્યો.

આમ હવે ખુદ કોંગ્રેસ માં જ નેતૃત્વ પરિવર્તન અંગે માંગ ઉઠવા પામી છે અને મજબૂત નીડર લીડર શિપ ની માંગ ઉઠી છે.ત્યારે આગામી સમયમાં શુ રિએક્શન આવે છે તેતો સમય જ કહેશે.હાલ તો અનુભવી જણાવી રહ્યા છે જો આમજ રહ્યું તો કોંગ્રેસ નું જહાજ ડૂબતા વાર નહિ લાગે.

અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ : 14 લોકો વોન્ટેડ
રામ મંદિર માટે ગોળીઓ ખાનારા કારસેવકોના નામે UPમાં રસ્તા બનશે
નેતા-પોલીસનું ગઠબંધન સાંસદ-ધારાસભ્યો સામેની ટ્રાયલ રોકે છે
રાજપીપળામાં હિન્દુઓને ગમતું થયું, નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટે 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો
લ્યો કરો વાત- હવાનું પ્રદૂષણ ઘટવાથી એટલાન્ટિક મહાસાગરમાં વધ્યા ચક્રવાત , સંશોધન
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસમાં ‘મહાભારત’ તો હજુ બાકી, અત્યારે સિબ્બલે એવી ટ્વીટ કરી કે પાર્ટી હચમચી જશે!
Next Article ભાજપને ચૂટણીમાં સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાત ફળે છે, ઇતિહાસ સાક્ષી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up