મુંબઈ : પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે સરકાર પાસે દેહવિક્રયનેે ભારતમાં પણ ‘વ્યવસાય’તરીકે માન્યતા આપવાની માંગ કરી છે.આ વ્યવસાયને પણ અન્ય ધંધાની જેમ આદર આપવામાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.પુણેમાં બુધવાર પેઠમા દેહ વ્યવસાય સાથે સંકળાયેલી ં મહિલાઓ માટે મફત આરોગ્ય શિબિર અને છોકરીઓ માટે સુકન્યા કાર્ડનું વિતરણ યોજવામાં આવ્યું હતું.આ વખતે અમૃતા ફડણવીસે કહ્યું,કે હું સરકારને કહેવા માંગુ છું કે દેહ વિક્રય સાથે અન્ય વ્યવસાયોની જેમ જ સન્માન સાથે વ્યવહાર થવો જોઈએ.તેને વ્યવસાય તરીકે સ્વીકારવો જોઈએ.તેમણે જણાવ્યું હતું કે જર્મની જેવા દેશોમાં વારાંગનાઓે આદરણીય સ્થાન ધરાવે છે.આ દેશોમાં તેઓો પણ ટેક્સ ચૂકવે છે.ભારતમાં પણ તેવો દરજ્જો મળવો જોઈએ.દેહવ્યવસાય કરતી મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે.તેથી,ગમે તેટલી ઉતાવળ હોય,દેહવ્યાપારના ધંધામાં મહિલાઓએ તેમની તબીબી તપાસ કરાવવી જોઈએ.આ વ્યવસાયમાં રોગ થવાનું જોખમ છે,તે જોખમને ઓળખો. ઉપરાંત,તમારી જાતને નિયમિતપણે તપાસો એમ તેમણે જણાવ્યું હતું.