નવી દિલ્હી,તા. 15 : છેલ્લા થોડા વર્ષોમાં શ્રેણીબધ્ધ અધિગ્રહણ અને છેલ્લે કોવિડ 19 કટોકટીથી ભારતમાં કેટલાય બિઝનેસીસ થોડા સમય માટે થંભી ગયા હતા. આ કારણે કિશોર બિયાની પણ તેમના રિટેલ સ્ટોર,વેર હાઉસીંગ અને લોઝિસ્ટિક્સ બિઝનેસ રિલાયન્સ રિટેલને ચાલુ વર્ષની શરુઆતમાં રૂા. 24,763 કરોડમા વેચી દેવા ફરજ પડી હતી.
તેમણે જણાવ્યું હતું ક ે આ બિઝનેસ સાથે અમે ફસાઈ ગયા હતા.પ્રામાણીકપણે કહું તો કોવિડના કારણે તમે પ્રથમ 3-4 મહિના જોશો તો અમે 7,000 કરોડની આસપાસ આવક ગુમાવી અને 7,000 કરોડની આવક ગુમાવીને અમે કોઇપણ રીતે ટકી શક્યા નહોતા.સમસ્યા એ છે કે ભાડું અટકતું નથી,વ્યાજ ચડતું અટકતું નથી. ફીઝીકલ રિટેલ કમ્પેશન ખાતે અઢી કલાક લાંબી ચર્ચામાં ટીઆરઆરએઆઈએમના સ્થાપક અને શોપર્સ સ્ટોપના નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ચેરમેન બીએસ નાગેશ સાથેની વાતચીતમાં બિયાનીએ પેટછૂટી વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 6-7 વર્ષમાં તેમના જૂથે વધુ પડતા ખાસ કરીને સ્મોલ ફોર્મેટ સ્ટોર્સના અધિગ્રહણ કર્યા.ગમે તેમ આવું બધું કોવિડ સાથે બન્યું. અમે આવી રહ્યાનું લાગ્યું ત્યારે મને લાગ્યું કે નીકળી જવા સિવાય બીજો કોઇ રસ્તો નથી.બિયાનીએ જણાવ્યું હતું કે ગ્રુપ પાસે અન્ય વિકલ્પો હતા પણ એ માટે વધી રહેલું દેવું ડામવા એક એન્ટીટી અથવા ફોર્મેટ વેચી દેવા કરતાં સર્વગ્રાહી ઉકેલની જરુર હતી.
બિગબાઝાર જેવા 1800 ગ્રોસરી, એપેરલ ફોર્મેટ, બિગબાઝાર,નિલગીરી અને ફૂટરોલ નિલગીરી વગેરે રિટેલ બિઝનેસ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઓગસ્ટમાં વેચી દીધો છે.હવે તેમની પાસે જૂથના પેકેજડ કનઝયુમર ગુડસના મેન્યુફેકચરીંગનો બિઝનેસ બાકી રહ્યો છે.બિયાનીએ દેશમાં વપરાશ બાબતે લંબાવાથી વાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે કોવિડ પાયાની કનઝમ્શન સ્ટોર્સ માટે ફટકો પુરવાર થશે.
રિલાયન્સની હવે નવા માર્કેટમાં ઘુસવાની તૈયારી
હવે રિલાયન્સ આપના ઘરમાં ઈલેકટ્રિક મીટર લગાવશે!
જિયો ફોન અને સીમકાર્ડથી કોમ્યુનીકેશનમાં તહેલકો મચાવ્યા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્માર્ટ ઈલેકટ્રીસીટી મીટરની માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
કંપની પોતાના જિયો બીઝનેસ દ્વારા વીજળી વિતરણ કંપનીઓને મીટર ડેટા કલેકશન, કોમ્યુનીકેશન કાર્ડસ, ટેલીકોમ અને કલાઉડ હોસ્ટીંગ સર્વિસ આપવાની યોજના બનાવી રહી છે. આ ડીસ્ટ્રીબ્યુશનની ખાધમાં કપાતના ઉદેશથી ભારતમાં ચાલી રહેલ દુનિયાના સૌથી મોટા ઈલેકટ્રીસીટી સ્માર્ટ મીટરીંગ પ્રોગ્રામમાં આવે છે.
ભારતના સ્માર્ટ મીટર પ્રોગ્રામનું લક્ષ્ય 250 મિલિયન પારંપરિક મીટર બદલવાનું છે જે વાર્ષિક રેવન્યુ ખાધને 1.38 ટ્રીલીયન કરવામાં મદદ કરશે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ અહીં એડવાન્સ મીટરીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર બીઝનેસને જોઈ રહી છે અને આ સર્વિસને નેરો બેન્ડ- ઈન્ટરનેટ ઓફ થિંગ્ઝ (એનબી-આઈઓટી) દ્વારા આપવાનું પ્લાનીંગ કરી રહી છે.
આ સ્માર્ટ મીટર માટે ટુ-વે કોમ્યુનીકેશન નેટવર્ક, કનટ્રોલ સેન્ટર ઈકિવપમેન્ટ અને એનર્જી યુઝેસ ઈન્ફોર્મેશન ને રિયલ ટાઈમ ગેધરીંગ અને ટ્રાન્સફર કરવા માટે સોફટવેર એપ્લીકેશનની જરૂર પડે છે.સ્માર્ટ મીટર્સ મીટરીંગ,બીલીંગ અને કલેકશનમાં લોકોનો હસ્તક્ષેપ ઓછો કરે છે અને કોઈપણ પ્રકારની વીજચોરીથી પણ બચાવે છે.