મુંબઇ : મુંબઈમાં સૌથી પહેલાં કોરોના પર નિયંત્રણ મેળવીને દાખલો બેસાડનારા ધારાવી વિસ્તારમાં ધીમે ધીમે કોવિડના કેસ વધવા માંડતા આરોગ્ય તંત્ર સાબદું બની ગયું છ.ેધારાવીમાં ગઈ છઠ્ઠી જૂને કોરોનાના સક્રિય દરદીની સંખ્યા ૪૪ હતી તે ૧૪મી જૂને વધીને ૬૬ થઈ છે.આમાંથી ૬૪ દરદી હોમા આઇસોલેશનમાં છે,જ્યારે બે દરદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જી-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે મુખ્યત્વે અખાતના દેશોમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવેલા આ દરદીઓમાં કોરોનાના બહુજ હળવા લક્ષણો જોવા મળ્યા છે.એટલે બહુ ચિંતા જેવું નથી.આમ છતાં આરોગ્ય તંત્ર સહેજ પણ ગાફેલ રહેવા માગતું નથી.તેમણે કહ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય રસીકરણ છે.એટલે રસીકરણ માટે અમે સ્કૂલોનો સંપર્ક સાધી રહ્યા છીએ.ઉપરાંત દરદી કોના સંપર્કમાં આવ્યા હતા તેની પણ શોધ ચાલુ છે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.