ધોરણ-10 અને 12ના શૈક્ષણિક કાર્યો શાળામાં શરૂ કયર્નિા સારા પરિણામો ના અંતે હવે ધોરણ 9અને 11 માટે પણ વર્ગખંડમાં અભ્યાસ શરૂ કરવાની તૈયારી રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે.આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની બેઠક આજે ગાંધીનગરમાં બોલાવી છે.જેના ફીડબેક ના અંતે આવતીકાલની કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ કરાશે.તેના આધારે વિવિધ સ્થળેથી મળેલા અભિપ્રાયોને ધ્યાનમાં લઈને ધોરણ 9 અને 11 ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય આવતીકાલની મંત્રીમંડળની બેઠકમાં આવી શકે છે.તેમ સચિવાલયના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કયર્િ પછી વિદ્યાર્થી-વાલીઓ શાળા સંચાલકો તેમજ અધિકારી સ્તરેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે હાલના તબક્કે ધોરણ નવ અને 11 ના વર્ગખંડ માટે શાળાઓ સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચચર્િ કયર્િ બાદ આ અંગે નિર્ણય લઇશું.શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ધોરણ નવ અને 11 ના વર્ગખંડ અભ્યાસ શરૂ કરવાની તૈયારી શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનામાં વર્ગખંડ અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે. ગત સપ્તાહે ધોરણ-10 અને 12ના તેમજ શાળા-કોલેજ અને ઉચ્ચ અભ્યાસક્રમ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેના પરિણામો અને અભ્યાસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.
આવતીકાલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુકવામાં આવનાર છે જેને લઈને આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક મહત્વની બેઠક બોલાવી છે,જેમાં રાજ્યભરની શાળાઓ શરૂ થયા પછી હાજરી આપી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ કોવીડ 19 ના કેસોમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાન પર લેવામાં આવનાર છે.આ સમીક્ષા બેઠક નો રિપોર્ટ આવતીકાલની મંત્રીમંડળની બેઠકમાં મુકવામાં આવશે.જેના આધારે આગામી ફેબ્રુઆરી માસ અથવા 26 જાન્યુઆરી પછી ધોરણ 9 અને 11 ના ખંડ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.એ વાત નિશ્ચિત છે.
કોરોનાની પરિસ્થિતિને કારણે આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં પરીક્ષા યોજવામાં આવનાર છે.શિક્ષણ વિભાગ ધોરણ 9 અને 11 બાદ માર્ચ મહિનામાં ધોરણ 6 થી 8 ના ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ એક થી પાંચ પ્રાથમિક શિક્ષણ માટે શાળા શરૂ કરવા આગળ વધી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બોર્ડ સિવાયના ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષા યોજવામાં આવશે આ વર્ષે કોઈપણ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવામાં નહીં આવે તેવું વારંવાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું છે આથી એ દિશામાં કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.