નરસંડા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

HM News
1 Min Read

નડિયાદ : નડિયાદ તાલુકાના નરસંડા ચોકડી પાસે આવેલ ભારતીય વિદ્યાભવન સામે કોઇ અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને ટક્કર મારતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નડિયાદ તાલુકાના નરસંડા ચોકડી પાસે ભારતીય વિદ્યાભવનની બાજુમાં સફી મહંમદ અહમદભાઇ વોરાની પાન મસાલાની દુકાન આવેલી છે.ગત રાત્રીના એક અજાણ્યો પુરૂષ આણંદથી નડિયાદ તરફ જતા રોડ ઉપર ભારતીય વિદ્યાભવન સામેથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવતા વાહને રાહદારીને ટક્કર મારતાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા રાહદારીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.મરણ જનાર અજાણ્યા રાહદારીના પાસે પડેલ થેલામાંથી એક બેન્ક ઓફ બરોડાની પાસબુક મળી આવી હતી જેની ઉપર વિજારામ મસરારામ (રહે. મેઘવાલોકી ધન, ઝખા.જિ.ઝાલોર, રાજસ્થાન) હોવાનું લખેલ હતું.આ બનાવ સંદર્ભે સફીમહંમદે ચકલાસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *