- ખોડલધામ ખાતે 10008 LED સ્ક્રીન પર રાષ્ટ્રગાનનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો
ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને 21 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે,ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો છે.જ્યાં ચેરમેન પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે,રેક સમાજનું આમારા પર ઋણ છે,દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે.રાજકોટથી 20 કિ.મી. દૂર અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે.દ જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે.17.01.2017ના જે લોકો સાક્ષી છે એમને ખબર છે.રાજકોટથી માં ખોડલની માતાજી મૂર્તિ પ્રસ્થાન કેશુભાઇ પટેલે કરાવ્યું હતું. અને કેશુબાપા માં ખોડલને લઈ આવ્યા હતા,લાખો લોકોને નિહાળીને મને ચિંતા થઈ હતી.
મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું
ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં.તેમણે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે.9 વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી.ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.હરજીભાઈ ટિબડિયા તથા તેમનાં પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠાં હતા. તેઓ રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે.તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા.આ ભવ્ય કાર્યક્રમનું આજે સવારે 9 કલાકે લાઈવ પ્રસારણ થયું હતું.