નર્મદ યુનિવર્સિટી આગામી 14મી સુધી સંપૂર્ણ લોક ડાઉન

HM News
1 Min Read

સુરત, તા. 26 માર્ચ 2020, ગુરુવાર

કૉરોનાની હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી૧૪ મી એપ્રીલ સુધી યુનિવર્સિટી અને તમામ કૉલેજ બંધ રાખવાનો નિર્ણય કરતા જ ટીચીંગ નોન ટીચીંગ સ્ટાફ ને રાહત થઈ ગઈ છે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા આજે એક પરિપત્ર જારી કરીને તમામ અનુસ્નાતક વિભાગોના વડાશ્રીઓ , સ્વનિર્ભર અભ્યાસક્રમના કો ઓર્ડિનેટરશ્રીઓ , વહીવટી વિભાગોના વડાશ્રીઓ અને યુ શનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે નોવેલ કોરોના વાયરસ (Covid -19)ના સંક્રમણને નિયંત્રીતમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં રાજ્ય સરકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ સરકારી કચેરી સિવાયની તમામ કચેરી તા. 25.03.2020 થી તા. 14.04.2020 સુધી બંધ રાખવાનો નિર્ણય કરેલ હોય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 14.04.2020 સુધી બંધ રહેશે.

યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રીઓને પણ સામાન્ય વહીવટ વિભાગના ઉપરોક્ત પરિપત્ર અન્વયે તેઓની કોલેજો બંધ રાખવા જણાવવામાં આવે છે . તમામ કર્મચારીઓને મુખ્ય મથક નહી છોડવા અને યુનિવર્સિટી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકા અને સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

વધુમાં , યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવે છે. અને પરીસ્થિતી નિયંત્રણમાં આવ્યા બાદ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકવામાં આવશે . જેની જાણ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને તથા સંબંધિત વિદ્યાર્થીઓને કરવા વિનંતી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *