By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવરાત્રીને ધ્યાને રાખી પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે બસની સંખ્યાં વધારાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > નવરાત્રીને ધ્યાને રાખી પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે બસની સંખ્યાં વધારાઇ
GeneralVadodara

નવરાત્રીને ધ્યાને રાખી પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે બસની સંખ્યાં વધારાઇ

HM News
Last updated: 29/09/2022 10:37 AM
HM News
3 years ago
Share
SHARE

– એસ.ટી વિભાગ દ્વારા વધારાની 60 બસો ફાળવવામાં આવી
– એસ.ટી વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી બસો ફાળવાઈ
– પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે કરાઈ વ્યવસ્થા

આસો નવરાત્રી તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધુ એસ.ટી.બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે.હાલ નવરાત્રીના પવિત્ર અવસર પર એસ.ટી વિભાગ દ્વારા દર્શનાર્થીઓને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખો યાત્રાળુઓ દરરોજ આવનારા હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ યાત્રાળુઓને મુશ્કેલી ન થાય તે માટે એસ.ટી વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી વધારાની 60 બસો ફાળવવામાં આવેલ છે.જેનાં સુચારું આયોજન માટે એસ.ટી. વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજો સોંપવામાં આવેલ છે.તેની સાથે એસ.ટી વિભાગ દ્વારા સ્થળ ઉપર મંડપ,બેઠક વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.એટલું જ નહિ મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિભાગનાં વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આશો નવરાત્રી દરમ્યાન દરરોજ 3 લાખથી વધુ યાત્રાળુઓ દર્શાનાર્થે આવતા હોય છે.નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં લોકો પાવાગઢ જતા હોય છે.જેથી એસ.ટી બસોમાં જગ્યા ન મળવા જેવી સ્થિતિ જોવા મળે છે.જેને ધ્યાને રાખી એસ.ટી વિભાગ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ઈઝરાયલે હમાસના આતંકવાદી ઓસામા મઝિનીને કર્યો ઠાર, ગાઝામાં 250 લોકોને બંદી બનાવ્યા
ગુજરાતમાં કેટલા ઉદ્યોગોને અપાઈ કામ કરવાની છૂટ? કયા જિલ્લામાં કેટલા ઉદ્યોગો શરૂ? જાણો
શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેત
ગુજરાતમાં જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા, રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાંથી પણ થયા બાકાત
લો બોલો ! શિવસેનામાં થયેલા બળવો હજી શમ્યો નથી ત્યાં હવે હવે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યના ગૃહ વિભાગનો છબરડો, 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા PSIની કર નાંખી બદલી
Next Article ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચે અંતર ઘટાડવા માટે અમિતભાઇ શાહએ ઘડી નવી રણનીતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up