– નવસારીની એક શાળાના વોટ્સપ ગ્રુપમાં મધરાતે અસ્લીલ વિડિઓ પોસ્ટ કરનાર શિક્ષકે વોટ્સપ ઉપર માફી માંગી
નવસારી : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના કરોડો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું,જ્યારે આજ દિવસે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની એક ખાનગી શાળાના શિક્ષકે મધરાતે વોટ્સપ ગ્રુપમાં અસ્લીલ વિડિઓ પોસ્ટ કરતા બાળકો સહિત વાલીઓને આઘાત લાગ્યો હતો.શાળમાં ઓનલાઈન શિક્ષણ માટે બનાવેલ ગ્રુપમાં અભ્યાસને લગતી વાતો અને સાહિત્ય ની આપ લે થતી હોય છે ત્યારે જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ ૬ થી ૮ ના વર્ગ શિક્ષક પુરુષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે શુક્રવારની રાત્રેએ અશ્લીલ વીડિયો અપલોડ કર્યો જેને જોઈ એક વિદ્યાર્થિની ઘબરાઈ ગઈ હતી અને તેણીએ પોતાનાં માતા-પિતાને જાણ કરતાં મામલો ચર્ચામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે સ્કૂલનાં આચાર્યાને જાણ કરી ત્યારે આચાર્યાએ આ શિક્ષકને ફોન કરતાં પ્રથમ તેણે પોતે નિર્દોષ હોવાનું જણાવી મેં આવું કંઈપણ પોસ્ટ નથી કર્યું એમ કહ્યું હતું અને ત્યારબાદ એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.
એક શિક્ષક દ્વારા પ્રાથમિક ધોરણના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શિક્ષકે મૂકતાં શિક્ષકની ગરિમા લજવાઇ છે,ત્યારે શાળાના આચાર્યે આ બાબતે જણાવ્યું હતું કે આ શિક્ષકને ૧૫ દિવસ પહેલાં જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો જોકે હાલમાં પરીક્ષા નો સમય હોવાથી બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરી તેમને એક તક પણ આપવામાં આવી હતી.પરંતુ આજે આ શિક્ષકે કરેલ કૃત્યને ધ્યાનમાં રાખી શિક્ષક પરેશ પુરોહિતને વર્ગના વોટ્સપ ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યો હતો અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ વિચાર કરવામાં આવ્યો છે.