By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારી કૃષિ યુનિવર્સિટીની સિધ્ધિ ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીએ બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી કૃષિ યુનિવર્સિટીની સિધ્ધિ ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીએ બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો
GeneralSouth Gujarat

નવસારી કૃષિ યુનિવર્સિટીની સિધ્ધિ ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીએ બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો

HM News
Last updated: 18/04/2022 7:06 AM
HM News
3 years ago
Share
SHARE

નવસારી : ભારતીય કૃષિ અનુસંધાન(ICAR)ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP)ફળની ૯મી વાર્ષિક ગ્રુપ ડીશ્કશન મીટીંગ કોરોનાને કારણે ઓનલાઇન તા.૮ માર્ચ થી ૧૧ મી માર્ચ દરમ્યાન યોજાયેલ હતી.જે ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલ ૫૦ કેન્દ્રોની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવે છે.જેમાં ફળ સંશોધન કેન્દ્ર,ન.કૃ.યુ.ગણદેવીને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ડો.પ્રકાશ પાટીલ દ્રારા ભારતીય કૃષિ અનુસંધાનના ડીડીજી હોર્ટીકલ્ચર ડો.આનંદ કુમાર સિંહના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૧ માટે “બેસ્ટ સેન્ટર એવોર્ડ”-એવોર્ડ આપવામાં આવ્યો છે.નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી તાલુકામાં આવેલા ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.ગણદેવી કેન્દ્રના વડા ડો.અંકુર પી.પટેલ જણાવ્યું હતં કે વર્ષ ૨૦૨૦ માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને ” બેસ્ટ સેન્ટર એવોર્ડ” મળ્યો હતો. આમ ફળ સંશોધન કેન્દ્રને આખા ભારતમાંથી સતત બે વર્ષથી બેસ્ટ સેન્ટર એવોર્ડ મળેલ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.વધુમાં ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીને, આ વર્ષ ૨૦૨૧ માટે વધુ એક એવોર્ડ- “એવોર્ડ ઓફ એક્ષેલન્સ” પણ મળ્યો છે.આ એવોર્ડ ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવી દ્રારા કેળના રોપા ઉછેરવાની મેક્રોપ્રોપેગેશન ટેકનોલોજીનું ખેડૂતોમાં બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા બદલ આપવામાં આવ્યો છે.ન.કૃ.યુ.ગણદેવીને બંને એવોર્ડ મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ,સંશોધન નિયામકશ્રી ડો. અહેલાવત ,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી.કે.ટીંબડીયા અને કુલસચિવશ્રી એચ.વી.પંડ્યાએ ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ આવી જ સરસ પ્રવૃતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ અવસરે સંશોધન કેન્દ્ર,ન.કૃ.યુ. ગણદેવીના ડો.પી.કે.મોદી, ડો.કે.ડી.બિશને ,પ્રો.બંકિમ નાયક તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા ડો.અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા પ્રશ્નના જવાબમાં હવે C.R.પાટીલે કહ્યું- ‘મને આ સ્થિતિની ખબર નથી.
સુરતના પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થતા 8 માસની બાળકીનું મોત
અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
ઓહ બાપ રે ! જમાતીઓની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની આખી ટીમને કોરોના
ગુજકેટની પરીક્ષા માટે મહત્વની જાહેરાત, રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ જાહેર
Share This Article
Facebook Email Print
Previous Article કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Next Article તાંતીથૈયામાં દુકાનમાં સગીરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up