નવસારી : ભારતીય કૃષિ અનુસંધાન(ICAR)ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP)ફળની ૯મી વાર્ષિક ગ્રુપ ડીશ્કશન મીટીંગ કોરોનાને કારણે ઓનલાઇન તા.૮ માર્ચ થી ૧૧ મી માર્ચ દરમ્યાન યોજાયેલ હતી.જે ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલ ૫૦ કેન્દ્રોની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવે છે.જેમાં ફળ સંશોધન કેન્દ્ર,ન.કૃ.યુ.ગણદેવીને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ડો.પ્રકાશ પાટીલ દ્રારા ભારતીય કૃષિ અનુસંધાનના ડીડીજી હોર્ટીકલ્ચર ડો.આનંદ કુમાર સિંહના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૧ માટે “બેસ્ટ સેન્ટર એવોર્ડ”-એવોર્ડ આપવામાં આવ્યો છે.નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી તાલુકામાં આવેલા ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.ગણદેવી કેન્દ્રના વડા ડો.અંકુર પી.પટેલ જણાવ્યું હતં કે વર્ષ ૨૦૨૦ માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને ” બેસ્ટ સેન્ટર એવોર્ડ” મળ્યો હતો. આમ ફળ સંશોધન કેન્દ્રને આખા ભારતમાંથી સતત બે વર્ષથી બેસ્ટ સેન્ટર એવોર્ડ મળેલ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.વધુમાં ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીને, આ વર્ષ ૨૦૨૧ માટે વધુ એક એવોર્ડ- “એવોર્ડ ઓફ એક્ષેલન્સ” પણ મળ્યો છે.આ એવોર્ડ ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવી દ્રારા કેળના રોપા ઉછેરવાની મેક્રોપ્રોપેગેશન ટેકનોલોજીનું ખેડૂતોમાં બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા બદલ આપવામાં આવ્યો છે.ન.કૃ.યુ.ગણદેવીને બંને એવોર્ડ મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ,સંશોધન નિયામકશ્રી ડો. અહેલાવત ,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી.કે.ટીંબડીયા અને કુલસચિવશ્રી એચ.વી.પંડ્યાએ ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ આવી જ સરસ પ્રવૃતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.
આ અવસરે સંશોધન કેન્દ્ર,ન.કૃ.યુ. ગણદેવીના ડો.પી.કે.મોદી, ડો.કે.ડી.બિશને ,પ્રો.બંકિમ નાયક તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા ડો.અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.