By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારી જિલ્લાની DILR કચેરીનો અંધેર વહીવટ રામભરોસે..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી જિલ્લાની DILR કચેરીનો અંધેર વહીવટ રામભરોસે..
GeneralSouth Gujarat

નવસારી જિલ્લાની DILR કચેરીનો અંધેર વહીવટ રામભરોસે..

HM News
Last updated: 18/01/2022 7:14 AM
HM News
3 years ago
Share
SHARE

– વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટેની અરજીને સમય વીતવા છતાં પણ માપણી ન થતા અરજદારોમાં ભારે રોષ

ચીખલી : પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોએ પોતાની ખેતરની હદ માપણી માટે ઓન લાઇન અરજી કરી ઇપેમેન્ટ દ્વારા જરૂરી ફી સરકારી તિજોરીમાં ભરવાની હોય છે અને ફી ભરાયા બાદ માપણીની તારીખ અને સર્વેયરના નામ સાથેની વિગત અરજદારોને તેના ઇમેઇલ આઇડી કે ટેક્સ મેસેજ દ્વારા જાણ કરાતી હોય છે પરંતુ ચીખલી તાલુકામાં જમીનની હદ માપણી માટેની અનેક અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું જાણવા મળેલ છે.વંકાલ ગ્રામ પંચાયત દ્વારા ખાતા નંબર ૯૨૦ વાળી સરકારી તળાવની તત્કાલ હદ માપણી માટે ગત તા.૨૮-ડિસેમ્બર ના રોજ ઇપેમેન્ટ થી ૮,૮૦૦/- રૂપિયાની રકમની ભરપાઈ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી માપણી માટેની તારીખ જ ફળવાઈ નથી.ધેજ ગામના ભરડા-નાયકીવાડના ખેડૂત ખાતેદાર દ્વારા તેમની ચરી ગામમા આવેલ ખેતરની માપણી માટે ઓનલાઇન અરજી અને ઇ-પેમેન્ટ થી રકમ ભર્યા બાદ માપણી માટે ૨૭/૧૨/૨૦૨૧ ની તારીખ ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હતી.ડીઆઈએલઆર કચેરીમાંથી કોઈ ફરક્યું જ ન હતું.અરજદારે જાણ કર્યા બાદ પણ માપણી માટેની નવી તારીખ આપવામાં આવી નથી.

અરજદારોએ માપણી માટેની અરજી કરી નાણાં ભરી દીધા બાદ પણ માપણી થતી નથી.અને તાલુકામાં અનેક માપણીની અરજીઓ પેન્ડિંગ હોવાનું પણ જાણવા મળેલ છે.નવસારીની ડીઆઈએલઆર કચેરીનો અંધેર વહીવટ બહાર આવવા પામ્યો છે.કચેરીના મુખ્ય વડા જમીન નિરીક્ષકની જગ્યા ખાલી થયા બાદ જાન્યુઆરી માસના ૧૨-દિવસ સુધી તો કોઈને ચાર્જ જ સોપાયો ન હોવાની માહિતી સાંપડી હતી.ત્યારે આટલા દિવસો કચેરીનો વહીવટ રામભરોસે જ હતો.અને કચેરીની હાલત ધણી વિનાના ઢોર જેવી થવા પામી હતી.ડીઆઈએલઆર કચેરીના હેડ કવાટર આસિસ્ટન્ટ સુમનભાઇના જણાવ્યાનુસાર ૧ થી ૧૨ તારીખ દરમ્યાન કોઈ પાસે ચાર્જ ન હતો.હવે સુરતના અનંત પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે.તેમની પાસે અન્ય બે ત્રણ ચાર્જ છે.ત્યારે સાહેબના લોગીનથી કામગીરી કરવાની હોય સાહેબ આવ્યા બાદ માપણી માટે અરજદારોને તારીખ આપવામાં આવશે.

રુબૈયા સઈદને તેના અપહરણના મામલામાં CBI કોર્ટે સમન્સ પાઠવ્યું
એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેસતો હાર્દિક ખિસકોલી તરીકે ઓળખાશે
નરેન્દ્ર મોદી અને મગર વચ્ચે વર્ષેાજૂનો નાતો ! કેવડિયામાં સી-પ્લેન જે જળાશયમાં ઉતરશે ત્યાં મગરોનું સામ્રાજ્ય , ૧૨૮ પકડાયા
ઓટો સેક્ટરને લોકડાઉનના કારણે રોજ 2300 કરોડનુ નુકસાન
Share This Article
Facebook Email Print
Previous Article એનાનો લિસ્ટેડ બુટલેગર નીલેશ દરબાર 26 હજારના દારૂ સાથે તાંતીથૈયાથી ઝડપાયો
Next Article પંજાબમાં ભગવંત માન હશે આપના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up